________________
કર્મથી આવેલી ભેટોને લેવાનો પણ અધિકાર કર્મને છે.
પ્રભુના શાસનમાં સુમતિ શ્રાવિકાનો પ્રસંગ આવે છે. બે યુવાન દીકરા નદીએ નાહવા ગયા છે. કુદરતે બંને ડૂબી ગયા. બંનેની લાશ ઘરે આવી. ઘરમાં બે દીકરાઓની લાશને સફેદ ચાદર ઓઢાડીને સુમતિએ પતિને અદ્દભુત તત્ત્વજ્ઞાન સમજાવ્યું. “સ્વાભાવિક ઉપર સ્વામિન્ત ચાલે પણ વૈભાવિક ઉપર સ્વામિત્ત્વ ન ચાલે.”
અનંત જ્ઞાન - અનંત દર્શન - અનંત ચારિત્ર આદિ સ્વાભાવિક છે. દુઃખનું ચરમ સ્થાન નિગોદ છે, સુખનું પરમ સ્થાન મોક્ષ છે.
નિગોદના જીવોને કેવળજ્ઞાનનો અનંતમો ભાગ ઉઘાડો હોય, બાકીનો ભાગ ઢંકાયેલો હોય છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે.
આ હૂડા અવસર્પિણી કાળમાં આપણને પ્રભુનું શાસન મળ્યું છે એ આપણું સદ્ભાગ્ય. ભૂંડામાં ભૂંડું એનું નામ હૂંડા.
કાળ ચાલે છે માઈનસ... ને એમાં પ્લસ પોઈન્ટ છે પ્રભુનું શાસન
સારા કાળમાં વધુ ભક્તિ કરો તો ઓછું મળે પણ પડતા કાળમાં થોડું કરવાથી પણ વધુ મળે છે.
શાલિભદ્રની ખીર શેની હતી? બાસમતી ચોખા, બદામ, કેસર, પ્રખ્યાત ડેરીનું દૂધ શું બધું હતું? છતાં ખીર વહોરાવી એનું ફળ શું મળ્યું? પરમાત્માના હાથે ચારિત્ર. વાહ વાહ તો બધો કચરો છે. અનુમોદના એ તો કંચન છે.
આપણી આસપાસ ચતુર્વિધ સંઘમાં ક્યાંય પણ કોઈ ગુણ દેખાય તો અંતરથી અનુમોદના કરો. પ્રશંસા વાચિક છે, જ્યારે અનુમોદના માનસિક છે.
આખા દિવસમાં અનુમોદનાની એક માળા કરો... ૧૦૮ આરાધકોના સુકૃતો યાદ કરી ગદ્ગભાવે નમસ્કાર કરો.
- સમજણના ઘરમાં જે આવે છે તે વ્યક્તિને પછી કોઈ ચીજ ગયા પછી વસવસો થતો નથી.
ઘરમાં એક શ્રાવિકા જો ધર્મ પામી જાય તો આખી પેઢી તરતી થઈ . જાય. ઘરમાં પિતાજી પાસે છોકરો કેટલો રહે અને “મા” પાસે કેટલો રહે? માતા પાસે જ વધારે સમય રહેતો હોવાથી માતાના જીવનના શુભ સંસ્કારો બાળકમાં આવે છે.
==
• ૨૪ •