________________
તેનું કારણ છું. પવનંજય કહે છે મેં તને તરછોડી, અપમાનિત કરી, માનસિક પરિતાપના આપી. મને માફ કરી દે. તેની આંખો રડે છે. ગંગાના પાણી પાપ ધુએ કે ન ધુએ પણ આંખના પાણી પાપ ધોઈ નાંખશે. આંખમાંથી પાપરૂપી પાણીના ધોધ વહે ત્યારે તન-મન તીર્થ બની જાય. પવનંજય અને અંજનાનો ૨૨ વર્ષ પછી પ્રથમ મેળાપ થયો. સવાર થતા પવનંજય અંજનાને કહે છે હું જાઉં છું. અંજના કહે છે. તમને યુદ્ધમાંથી આવતા મોડું પણ થઈ જાય. તમે તમારા માતા-પિતાને જરા મળી આવો. પવનંજય કહે છે હું તને જ મળવા અહીં આવ્યો છું. અંજના કહે છે તમારા આવ્યાની જાણ તમારા વિડલોને નહીં થાય તો મારી ઉપર જોખમ ઉભું થશે. પવનંજય કહે છે ભાવિમાં એવું કાંઈ થાય તો આ મારી વીટીં બતાવજે. હું યુદ્ધમાંથી આવ્યા બાદ રાજકુમારને રમાડીશ. પુણ્ય જાગે ત્યારે અમાસ પૂનમમાં પલટાઈ જાય છે. પાપ જયારે જાગે છે ત્યારે પૂનમ અમાસમાં બદલાઈ જાય છે. પવનંજય અને પ્રહસ્તિ ત્યાંથી વિદાય લે છે. અંજના વિચારે છે કે હવે મારા દુઃખના દિવસો ગયા. ભાવિની પરિસ્થિતિની અંજના કલ્પના પણ શી રીતે કરી શકે? કર્મના ખેલ સમજવા મુશ્કેલ છે. સમય પસાર થતા એક દિવસ કેતુમતિ અંજના પાસે જાય છે. કેતુમતિની ચકોર નજર છે. બેટા, કાંઈક ગરબડ લાગે છે? અંજના કહે છે આપનો પ્રતાપ છે. કેતુમતિ કહે શી રીતે સંભવી શકે? અંજના કહે છે માતાજી એક દિવસ આપના પુત્ર અહીંયા આવ્યા હતા. અંજનાની વાત ઉપર કેતુમતિને વિશ્વાસ આવતો નથી. અંજનાના શીલ ઉપર કેતુમતિને મનમાં શંકા ઉત્પન્ન થાય છે. શંકાના ઝેર કુટુંબના કેર મચાવી દે છે. કેતુતિ કહે છે મારો પુત્ર આવ્યો હોય અને મને મળ્યા વગર એ ચાલ્યો જાય એ વાત મારા માનવામાં આવતી નથી. અંજના ત્યારે પવનંજયની વીંટી બતાવે છે. અંજના કહે છે મારી માતાને વીંટી બતાવજે તારી ઉપર જરૂર વિશ્વાસ ક૨શે. અંજના કેતુમતિના ખોળામાં માથું મુકીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. ખોળો મળવો મુશ્કેલ છે. એ ખોળે સમર્પિત બની માથું મૂકનાર આજે દુર્લભ છે. કયારેય પણ આશ્રિતને ધુત્કારશો નહીં. કેતુમતિ અંજનાને તિરસ્કારે છે. કર્મના ગણિત કેવા છે.....
બે ચીજો જરૂરી
(૧) પરમાત્મ ભક્તિ, (૨) ગુરૂકૃપાનું બળ
• ૧૫ ·