________________
એમ ત્રણેય શુદ્ધ હોય એનું નામ અમૃત ક્રિયા. અમૃતક્રિયામાં લક્ષ શુધ્ધિ પણ હોય અને ભાવ શુધ્ધિ પણ હોય છે. અમૃતાનુષ્ઠાનમાં જવું હોય તેને ક્રિયા શુદ્ધિનું અવશ્ય લક્ષ રાખવું જોઈએ. પરમાત્માના દર્શનથી એની વાણી ગદ્ગદ્ બની જતી હોય છે. રોમાંચ ખડા થઈ જાય. અમૃતાનુષ્ઠાન તાત્કાલિક ફળે છે. મયણા દેરાસરે જઈને આવી. સાસુને કહે છે, નક્કી આજે એ આવવા જોઈએ. સાસુ કહે છે કયા કારણથી કહે છે. જયારે અતિ ઉગ્ર કક્ષાનું પુણ્ય થાય છે ત્યારે રોમાંચ ખડા થઈ જાય છે, ત્યારે આત્મા અમૃતક્રિયામાં પ્રવેશ કરે છે. અઈમુત્તા મુનિની ઈરિયાવહિનું તાત્કાલિત ફળ તમે બધા જાણો છો. પરમાત્માના શાસનની ક્રિયા એટલી મહાન છે કે તે આત્માને પૂર્ણતા અપાવી દે છે. દરેક ક્રિયામાં લક્ષ્ય રાખો. લક્ષ્ય વગરની દોટ અહીં જ અટકાવી દો. ક્રિયામાં ઉપયોગ અત્યંત જરૂરી છે. તમે જે ક્રિયા કરો નાની કે મોટી દરેકમાં ઉપયોગ રાખતા શીખો. સામાન્ય આ ઉપયોગની વાત છે. લોગસ્સ બોલી રહ્યા છો. લોગસ્સમાં વંદે-વંદામિ આવે ત્યાં માથું ન ઝુકાવો તો જુઠુ બોલ્યાનો દોષ લાગે છે. આ ક્રિયાષ્ટક સાંભળ્યા પછી આજથી નક્કી કરો કે એક દિવસ આપણી ક્રિયા અમૃતાનુષ્ઠાન બનાવવી છે.
એક શેઠ વ્યાખ્યાન સાંભળી ઘેર ગયા. રાતના શેઠાણી સામાયિક લઈને બેઠા છે. ત્યાં ઘરમાં ચોર આવ્યો. શેઠાણી શેઠને કહે છે, ‘ચોર આવ્યો જાગો છો?' શેઠ કહે છે હા. ચોરને ખાતર પાડવા દે પછી ઉઠું છું. અંદર તો આવવા દે. અંદર આવી ગયા. ચોરી ક૨વા દે. ચોરો તિજોરી પાસે ગયા. તિજોરી ખોલવા દે. પોટલો બાંધવા દે. પોટલો લઈને નીકળે તો ખરા. ચોરો પોટલો લઈને નીકળી ગયા ત્યારે શેઠ દોડે છે. શું વળ્યું? શેઠને ચોર આવ્યા એનું જ્ઞાન હતું પણ ઉઠવાની ક્રિયા ન કરી તો જ્ઞાન નકામું ગયું. પરિપક્વ હાર્દિક સમજણ સ્વીકાર સમ્યક્ આચરણ પછી જ સ્વાનુભૂતિ થાય. ચિત્તની વિહ્વળતા એ અસમાધિની જ જાહેરાત છે. તૃપ્તિનો અનુભવ કેમ થાય?
"
Life | શmmese W
૨૯૩
-
*_*_*_*_* IN
mimic) - Yચાંચમાં