________________
(૩) કોઈની તુલનામાં ન આવે તેવા શાંત રસના આસ્વાદથી અનુભવગમ્ય જેવી તૃપ્તિ થાય છે તેવી તૃપ્તિ જિવા ઈંદ્રિયથી પરસના ભોજનથી પણ થતી નથી.
संसारे स्वप्नवन्मिथ्या, तृप्तिः स्यादाभिमानिकी ।
तथ्या तु भ्रान्तिशून्यस्य, सात्मवीर्यविपाककृत् ||४|| (૪) વનવ-સ્વમની જેમ સંસાર-સંસારમાં મમમની -અભિમાનથી થયેલી-માની લીધેલી મિથ્યા-જુઠી તૃપ્તિ-તૃપ્તિ ચા-હોય, તથ્ય-સાચી તૃપ્તિ તુ-તો બ્રાન્તિશૂન્યસ્થ-મિથ્યાજ્ઞાનથી રહિતને હોય. સી- તે માત્મવીર્યવિપાઆત્માના વીર્યની પુષ્ટિ કરનાર છે. (૪) જેમ સ્વપ્નમાં મોદક ખાવાથી કે જોવાથી વાસ્તવિક તૃપ્તિ થતી નથી તેમ સંસારમાં વિષયોથી માની લીધેલી જુઠી તૃપ્તિ થાય છે. સાચી તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન રહિત સમ્યગ્દષ્ટિને હોય છે. તે તૃપ્તિ આત્મવીર્યનો વિપાક-પુષ્ટિ કરનારી છે. અર્થાત્ તૃપ્તિથી આત્મવીર્યની પુષ્ટિ-વૃદ્ધિ થાય છે. (તૃપ્તિનું લક્ષણ આત્મવીર્યની પુષ્ટિ છે.)
पुद्गलैः पुद्गलास्तृप्तिं, यान्त्यात्मा पुनरात्मना ।
परतृप्तिसमारोपो, ज्ञानिनस्तन्न युज्यते ||५|| (૧) પુર્લૈઃ-પુદ્ગલોથી પુના-પુદ્ગલો તૃ-પુદ્ગલના ઉપચલ રૂપ તૃપ્તિને યાન્તિ-પામે છે, પુન:-અને રાત્મના-આત્માથી - આત્મગુણોના પરિણામથી પુન:-આત્મા તૃપિં-તૃપ્તિને (પામે છે) ત–તેથી જ્ઞાનિન:સમ્યજ્ઞાનવંતને પરતૃપિસમારો:-પુગલની તૃપ્તિમાં આત્માનો ઉપચાર યુથ-ઘટતો 1- નથી. (૫) પુદ્ગલોથી પગલો જ ઉપચય રૂપ તૃપ્તિ પામે છે. તથા આત્મગુણ પરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. આથી પુદ્ગલની તૃપ્તિનો આત્મા ઉપચાર કરવો એ અભ્રાન્ત જ્ઞાનીને ઘટતો નથી. અન્યદ્રવ્યના ધર્મનો અન્ય દ્રવ્યમાં આરોપ કરે તે જ્ઞાની કેમ કહેવાય?
ભાવ - સ્વાદિષ્ટ ભોજનથી શરીરમાં ઉપચય-પુષ્ટિ વૃદ્ધિ થાય છે. ભોજન પુગલો છે અને શરીર પણ પુદગલો છે. આથી પુગલોથી મુગલો તૃપ્તિ પામે છે, નહિ કે આત્મા. આત્મા અને પુદ્ગલ બંને ભિન્ન દ્રવ્યો છે.
જ થી #g
Y aipitatist
i
S
ftuShiften