________________
પોતાના દીકરા ઉપર ખૂબ જ પ્રેમ હતો. શેઠ ધર્મી હતા. જયારે દીકરો નાસ્તિક શીરોમણ હતો. એક જ બીજમાંથી કાંટાનો અને ફૂલનો જન્મ થાય છે. શેઠ પરમ ધાર્મિક હતા. શેઠને પોતાના દીકરાની ચિંતા થાય છે. મોહ ચિંતા કરે અને ધર્મ ચિંતન પેદા કરે. ચિંતા પેદા કરે તે રાગ અને ચિંતન પેદા કરે તે વાત્સલ્ય. શેઠ વિચારે છે જેના જીવનમાં ધર્મ નથી એવા મારા દીકરાના આત્માનું શું થશે? આત્માના સ્તર પર ચિંતા કરે તે ધર્મપતા અને શરીરના સ્તર પર ચિંતા કરે તે મોહપિતા. શેઠ દીકરાને ઘણીવાર સમજાવતા પરંતુ દીકરો બાપની વાત માનવા તૈયાર નથી. ધર્મી માણસની વય વધે તેમ વ્રત વધે. ધર્મમાં લય વધે ને સંસારમાં પ્રલય ઘટે. ધર્મ પામ્યાની નિશાની એ ધર્મમાં લાગેલી લય છે. દીકરો આવો જ નાસ્તિક રહેશે તો માનવભવને હારી જશે. શેઠ દીકરાના શરીરની નહીં આત્માની ચિંતા કરે છે. જ્ઞાની માણસ બોક્ષની ચિંતા ન કરે પણ એમાં રહેલ માલની ચિંતા કરે. બોક્ષ બગડે તો ચાલે પણ અંદર રહેલ મિઠાઈ બગડે તો ન ચાલે. ધારો કે તમે રસ્તા પરથી જઈ રહ્યા છો. ને સામેથી ટ્રક આવી રહી છે. ત્યાં રસ્તાની વચ્ચે પાણી કાદવ વગેરે પડ્યું છે. તો તમે શું કરશો? કપડાને બચાવવા જરા સાઈડમાં ઉભા રહી જશો ને? ચાલો થોડાક આગળ વધ્યા ત્યાં સામેથી બસ આવે છે અને સાઈડમાં ખાડો છે. બીજી જગ્યા નથી. ખાડામાં ગંદવાડ છે હવે તમે શું કરશો? શ૨ી૨ને બચાવશો. કપડા ખરાબ થશે તો ધોવાઈ જશે. શરીરની અને કપડાની વાત આવે ત્યારે જેમ શરીરને બચાવો છો તેમ શરીર અને આત્માની વાત આવે ત્યારે કોને બચાવશો? અહીં જ તમારી કસોટી છે. નાનામાં નાના નિયમ ધારણ કરી આત્માને બચાવી લો. એ નિયમોમાં વધુ બારીબારણા ખુલ્લા રાખવાથી બહુ ફાયદો થતો નથી. ઘણા નિયમ સાથે છૂટ લઈ લેતા બોલે ગામ-૫૨ગામ છૂટ. સાજે-માંદે છૂટ. આવો નિયમ ઉચ્ચારવાથી ફાયદો શું? જ્ઞાનીઓ કહે છે કે આવા દુષમકાળમાં ધર્મારાધન કરવું દુષ્કર છે. અને તેથી જ કોઈપણ આત્માની નાનામાં નાની ક્રિયા કે ધર્મઆરાધનાની ભરપેટ અનુમોદના કરો. એક રૂપિયાનું દાન આપે કે માત્ર બે મિનિટ પરમાત્માની ભક્તિ કરે તેની પણ અનુમોદના કરો. અઠ્ઠાઈમાસક્ષમણ જેવા તપ ન કરતા કોઈ ફક્ત ચૌવિહાર-નવકારશી તપ કરે તો તેની પણ અનુમોદના કરજો. ૬૪ ઈંદ્રોમાંથી એકાદ ઈંદ્ર પણ ચૌવિહાર કરી શકતો નથી. અનુમોદના એ ધર્મનો ગુણાકાર છે. આ જ્ઞાની વચન છે.
મારો દીકરો ભયંકર સંસારમાં ડૂબી જશે. ઘણી મહેનત કરવા છતાં ઘરના સભ્યો સુધરતા ન હોય ત્યારે શું કરવું? આવી ફરિયાદ ઘણાની હોય છે. પરમાત્મા મહાવીરના સમયમાં પણ એવા હતા કે જે ૫૨માત્માને સાક્ષાત
• ૧૯૩ •