Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 275
________________ વૈરાગ્યની આધારશીલા છે ત્યાગ ઈન્દ્રિયોનો જય ન થાય ત્યાં સુધી ત્યાગનો ભાવ આવતો નથી. નજર સામે અનેક પરીબળો છે. વૈરાગ્ય પેદા થાય તો ત્યાગ થાય જીવનમાં વૈરાગ્ય આત્મસાત થયો હોય તો ત્યાગ જીવનમાં આવ્યા વિના રહે નહીં. વૈરાગ્યની ભૂમિકા શું? વિકર્ષણ એટલે વૈરાગ્ય. જે ઘર પ્રત્યે વૈરાગ્ય હોય તેના પ્રત્યે ત્યાગ કેટલો? ત્યાગ પ્રતિષ્ઠિત થાય તો વૈરાગ્ય આવ્યું સમજવું વૈરાગ્યની આધાર શિલા ત્યાગ છે, વિરતીની આધાર શિલા વૈરાગ્ય છે. અનંત ઉપકારી શાસ્રકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘ત્યાગ’ અષ્ટકમાં કહે છે, તમે એક વસ્તુનો કે એક વ્યક્તિનો ત્યાગ કરો એ મહત્વની વાત નથી. તમે કઈ રીતે, કઈ દૃષ્ટિએ ત્યાગ કરો છો એ મહત્વનું છે. માતાનો, પિતાનો, પ્રિયાનો, સ્વજન અને સ્નેહીનો ત્યાગ કરવાની પ્રેરણા આપનારા જ્ઞાની પુરુષો તમને અહીં અભિનવ માતા, પિતા, પ્રિયા વગેરેનો પરિચય કરાવે છે ને એમની સાથે સંબંધ બાંધવા પ્રેરણા કરે છે. ઈન્દ્રિયો પર વિજય મેળવનાર માટે સ્થૂલ જગતનાં પાત્રોનો ત્યાગ કરવો સહેલો બની જાય છે. એક ઉત્તમ સ્થાનને પ્રાપ્ત ક૨વા માટે પૂર્વના સ્થાનનો ત્યાગ કરવો પડે છે. લોકોત્તર માતપિતાની અ-ભૌતિક વાત્સલ્યભરી ગોદમાં ખેલવા માટે, લૌકિક માતાપિતાનો ત્યાગ કર્યા વિના કેમ ચાલે? હા, એ ત્યાગ દ્વેષથી કે તિરસ્કારથી નથી કરવાનો, પરંતુ લોકોત્તર માતાપિતા પ્રત્યેના તીવ્ર આકર્ષણના કારણે એમનો ત્યાગ કરવાનો છે... આપણે એ મમતાભર્યા માતાપિતાને વિનવીએ. આપણને તેમના બંધનમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરીએ. ‘હે માતા અને પિતા! કબૂલ કરીએ છીએ કે આપનો અમારા ૫૨ સ્નેહ છે... પરંતુ લાચાર છીએ. અમે આપના સ્નેહનો પ્રત્યુત્તર સ્નેહથી WL_C_DIL_KI_JAMATMETABLE(CTET)T - * . ૨૫૫ Vi ______!* * 1W C 3021302302122222338323253230232338522323521212138

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336