________________
વધુ પૈસા રોક્યા છે પણ તમારા નોકરે તો પોતાની આખી જીંદગી રોકી છે. જેને આ યાદ ન રહે તેને જ્ઞાનસાર સૂત્ર સાંભળવાની તેની પાત્રતા નથી. મજૂરમાં મજૂરનાં દર્શન ન કરો પણ માણસનાં દર્શન કરો, આખી વૃત્તિ ફરી જશે.
સાવરકુંડલા મહાજનવાડીમાં પ્રવેશ કર્યો. ત્યાંનું બાંધકામ એવું કે બેઠા બેઠા સામેના ઘરમાં શું ચાલે તે બધું દેખાય. સામે ઈતર કોમનું ઘર હતું. એક દિવસ ઘરમાં બધા કાળો કલ્પાંત કરવા લાગ્યા. એક જણને પૂછ્યું, શું થયું? તો કહે એમના ઘરે ઘોડો હતો તે મરી ગયો. જનાવર મરી ગયાથી આટલો કલ્પાંત. વિચારમાં પડી ગયો. પંદર દિવસ પછી એ ઘરના માલિકને બોલાવીને પૂછયું, “એક ઘોડો મરી ગયો તો એમાં આટલો કલ્પાંત શું કામ?' ત્યારે એ રડી પડ્યો કહે “ત્રણ વરસથી ઘોડો અપંગ થઈ ગયો હતો.' (ગામડામાં અપંગ એવા ઘોડા પાછળ આંસું પાડે છે જયારે જીવતા માણસ પાછળ શહેરના ડાહ્યા ગણાતા માણસોને કોઈ સંવેદના નથી.) અમારું કુટુંબ સ્વસ્થ આ ઘોડાના કારણે હતું. આ ઘોડો નથી મર્યો, અમારા પરિવારનો એક સભ્ય મર્યો છે.
પદાર્થના ત્યાગથી તમે ધર્મી નહીં બની શકો. જીવોનો સ્વીકાર કરશો તો ધર્મી બનવામાં તકલીફ નહીં પડે. ધર્મની શરૂઆત પદાર્થ ત્યાગથી નથી પણ જીવોના સ્વીકારથી છે.
જેવી રીતે સાંસારિક સ્વજનોનો ત્યાગ કરવાનો છે, તેવી રીતે અત્યંતર આંતરિક સ્વજનો સાથે સંબંધ બાંધવાનો છે. તે બાંધેલો સંબંધ તૂટી ન જાય તે માટે સદેવ સરૂની ઉપાસના કરવાની છે. જયાં સુધી નિરોગી ન બનાય, ત્યાં સુધી વૈદ્ય, ડોક્ટરોને ન ત્યજાય. તેવી રીતે જયાં સુધી આપણને સંશય-વિપર્યાસરહિત જ્ઞાનપ્રકાશ ન લાધે, શુધ્ધ આત્મસ્વરૂપની ઝાંખી ન થાય, ત્યાં સુધી જ્ઞાની ગુરૂનો ત્યાગ ન કરાય. અર્થાત્ જયાં સુધી ગુરૂદેવની ગુરૂતાનો વિનિયોગ ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરૂ સેવવા યોગ્ય છે. ગુરૂના અનુગ્રહ સિવાય આસેવન શિક્ષા ઝીલી શકાતી નથી... તે ઝીલ્યા સિવાય જ્ઞાનગુરૂતા પ્રાપ્ત થતી નથી.... જ્ઞાન ગુરૂતા વિના નહિ કેવળજ્ઞાન કે નહિ મોક્ષ! માટે ચિત્તમાં સદ્દગુરૂની સામે દઢ સંકલ્પ કરો! હે ગુરુદેવ! આપની કૃપાથી જ મારામાં ગુરૂતા આવશે. જયાં સુધી ગુરૂતા ન આવે ત્યાં સુધી સૂત્રોક્ત વિધિથી અને ભક્તિ ભાવથી હું આપની સેવાઉપાસના કરીશ.
8 શાક છે Y કાં
18ાકાંઈ જ Viા
_F
Yasianitaries Yaarak