Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 280
________________ ખોરાક ખાઈએ એટલે ભૂખનો સંતોષ થાય. અત્તરમિશ્રત તેલવાળો ધર્મ ખોરાક કેમ બને? જયાં સંતોષ નથી એવી જીંદગીનો ભરોસો કરવો નહી. ચંદન જેવો ધર્મ શ્વાસ છે. શ્વાસ જે લેવાઈ જાય છે. ચંદનને પોતાની સુગંધ છે. અંતઃકરણથી થઈ જાય તે ચંદન જેવો ધર્મ. ધર્મ જયાં સુધી શ્વાસમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી અટકવું નથી. નીચે પડેલું પાણી પ્રગટ કરવાનું છે, પેદા નથી કરવાનું. ધર્મ પેદા કરવાની ચીજ કે પ્રગટ કરવાની? પ્રગટ કરવાની. આજ સુધી આત્માની ઓળખાણ થઈ નથી. કારણ તું પોતે આત્મા છે. સંયમ પણ અમારું પોતાનું નથી, મળ્યું છે. સાચી સદ્ગતિ એ કે જે સાચી રૂચિ લઈને રવાના થાય. ૫૦ ફૂટના અંતરે દેરાસર હોય ને દર્શન કરવાની રૂચિ જ ન થાય તો દેવલોકમાં નંદીશ્વર લિપનાં દર્શન કરશે એવી શક્યતા ખરી? વાણિયો ત્રણ જગ્યાએ સ્થિર રહે (૧) ફોટો પડતો હોય ત્યાં (૨) માં ના પેટમાં હોય ત્યારે (૩) પૈસાની વાત આવે ત્યારે, એકાગ્રતાના દૃષ્ટાંતમાં ધનલંપટ માણસ પૈસામાં એકાગ્ર બને. સ્વાર્થ જેવું કોઈ પાપ નથી. દવા જેવો કોઈ ધર્મ નથી. દાન કર્યા પછી રકમ ચૂકવો ત્યારે કહો છો કે વધારે જોઈએ ત્યારે આવજો ... જ્ઞાનાચારની આરાધના ત્યાં સુધી કરવાની છે, જયાં સુધી જ્ઞાનાચારનું શુદ્ધ પદ કેવળજ્ઞાન ન પ્રગટે! દર્શનાચારની સેવા ત્યાં સુધી કરવાની, જયાં સુધી ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ ન થાય. ચારિત્રાચારની ઉપાસના ત્યાં સુધી કરવાનું, જયાં સુધી “શુકલધ્યાનની મસ્તી ન જાગી જાય! વીર્યાચારનું પાલન ત્યાં સુધી કરવાનું, જયાં સુધી અનંત વિશુદ્ધ વીર્ય ઉલ્લસિત ન થાય. નિષ્કર્ષ એ છે કે પાલન જ્ઞાનાચારાદિનું કરવાનું અને લક્ષ એના અંતિમ શુદ્ધ પદનું રાખવાનું. ભિખારી કરતાં શ્રીમંતને તકલીફ વધારે હોય તો તે ભિખારી થવાનું પસંદ કરે? તમારી પાસે અઢળક ધન પૈસા છે માટે કોઈ માગવા આવે છે. તેમાં દુઃખી ન થવું. ધર્મ તેલ જેવો હોય તો સંતોષ ન માનવો. અત્તરવાળા તેલમાંથી ચંદનમાં કન્વર્ટ થવાનું છે. પાપોને દૂર કરવા છતાં દૂર થતા નથી. જેમ ચંદનના વૃક્ષને સાપ વીંટળાય છે તેમ પાપો વીંટળાયા છે. પણ જયારે ચંદનના વૃક્ષ પર મોર આવે છે ને સર્પ દૂર થાય છે તેમ મારા જીવનના પાપોને દૂર કરવા આપ મોર બનીને પધારો તો મારા કર્મ સર્પ દૂર થાય. શુભમાંથી અશુભ બને, અશુભમાંથી શુભ બની શકે, પણ શુદ્ધ અશુભ બને તેવું કોઈ કારણ નથી. ભારે કર્મી આત્મા પુણ્યના પ્રભાવમાં વિભાવ તરફ ધકેલાતો જાય છે જયારે હળુકર્મી આત્મા સ્વભાવની નજીક આવતો કાકા કાલ રાત ૨૬૦ Vina tithi trasik Nasiticians

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336