Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 304
________________ હોવા છતાં નોકરાણી પર જરાય ગુસ્સો નથી કરતા. ગદ્ગદ્ ભાવે મુનિવેષમાં આવેલા દેવતાને કહે છે, આજે મારું પૂણ્ય ઓછું પડ્યું. બિમાર સાધુની ભક્તિનો લાભ ન મળ્યો... આપણે તો એ જાણવું છે કે પોતાના ભાવ અખંડ રાખ્યા તો ફળ પણ અખંડ મળ્યો. ભાવ આવ્યા વગર સ્કુલમાં દાખલ કરાયેલ છોકરાને પાંચ વર્ષ પછી સ્વયં સ્કુલમાં જવાના ભાવ જાગવા માંડે છે. બસ તેમજ, આજે ભલે ભાવ નથી. તો તેની પરવા ન કરો. ભાવ નથી તોય ક્રિયા કરતા રહો. સમય જતાં સમજ પ્રગટશે. સમજ એ બહુ મોટી ચીજ છે. આપણા તો મનની વિચિત્રાતા છે. ધર્મનું ફળ આપણને અખંડિત જોઈએ છે. ભાવો તથા ક્રિયાઓને ખંડિત કર્યાજ કરીએ છીએ. ભાવોને ખંડિત થવા ન દો. ખંડિત થનારા ભાવોની બાદબાકી સતત કરતા રહો. એક વાત નક્કી કરો. મારો જે વિષય નથી એ વિષયમાં રસ લેવો નથી. ચિંતા કરનારા ચાર પ્રકારના જીવો છે. (૧) આત્માની ચિંતા કરે તે ઉત્તમ. (૨) વિષયોની ચિંતા કરે તે મધ્યમ (૩) પૈસાની ચિંતા કરે તે અધમ (૪) પારકાની ચિંતા કરે તે અધમાધમ. આપણે આપણા આત્માની જ ચિંતા કરીએ. પારકાના ઘરમાં ડોકિયા શા માટે કરીએ. ક્રિયાયોગી બનવાનું છે. આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યું કે સાધકે સાધના માટેની એક વાત ધ્યાનમાં રાખવી. બીજાની ચેષ્ટા માટે જે બહેરા મૂંગા અને આંધળા બની શકે તે જ સાચો સાધક. વિભાવ દશાથી બચવું છે. પ્રમાણિકપણે પુરૂષાર્થ તો કરવો જ પડશે. અશુભથી નિવૃત્ત થઈએ, શુભમાં પ્રવૃત્ત બનીએ, અંતે શુદ્ધમાં જાગૃત બનીએ. નાના મોટા કષ્ટો ઉઠાવી લઈએ. જે પથ્થર ટાંકણાના ઘાથી વંચિત રહે તે કષ્ટથી તો બચી જાય છે પરંતુ પ્રતિમા બનવાના સૌભાગ્યથી પણ વંચિત રહી જાય છે. આવો, આપણે તારક ક્રિયાઓને પ્રાણવંતી બનાવીએ.. 1ણ ક ક મા આ જે ૨૮૪ ના હ | Etal / I

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336