Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 309
________________ પીવો.'' મેં નિયમ લઈ લીધો. આ ક્રિયા આપને તો હસવા જેવી લાગે છે. મહાપુરૂષોની સામાન્ય વાત પણ અસામાન્ય ફળ આપે છે. તેમનો એક જ શબ્દ મહત્વનું કામ કરી જાય છે. શબ્દો મહત્વના નથી પણ એ કોણ બોલે છે એ મહત્વનું છે. ‘‘ગાંઠ છોડ્યા સિવાય દારૂ પીવું નહીં.'' એક વખત દારૂ પીવા બેઠો ત્યારે ગાંઠ છૂટી નહીં, ઘણી મહેનત કરવા છતાં સફળ ન થયો. મગજની નસો તડતડ તૂટવા લાગી. ચક્કર આવવા લાગ્યા. ત્યારે કોઈપણ પ્રકારના નિયમમાં આપણી જેમ છટકબારી ન શોધતાં નિયમમાં સ્થિર રહ્યો. દેવાત્મા કહે છે. ‘‘ગાંઠ ન છૂટી. હું મૃત્યુ પામી નવો કપર્દી યક્ષ બન્યો છું.'' વજસ્વામી દેવાત્માને કહે છે, અત્યારે પાલીતાણાનો ઉધ્ધાર કરવા જેવો છે. દુષ્ટોનું મહત્વ જામી જાય, ત્યારે સજ્જનો પાછળ ખસી જાય છે. દુષ્ટ દેવો પ્રતિમાજી ઉ૫૨ લોહી અને માંસના લપેડાઓ કરતા હતા. વજસ્વામી દેવાત્માને કહે છે. તારે ઋણ અદા કરવું છે તો સિધ્ધક્ષેત્રમાં તીર્થને ભક્તો માટે નિર્ભય બનાવવું જોઈએ. ત્યારે જાવડ કહે છે, મારા ૧૨ વહાણો સુવર્ણથી યુક્ત હમણાં આવ્યા છે. મને ઉધ્ધાર કરવાનો લાભ આપો. ત્રણે પાલીતાણા આવે છે. નવી મૂર્તિ ૨૧ વખત રથ દ્વારા ઉપર લઈ જવામાં આવી. ઉપર પહોંચાડયા પછી તે પ્રતિમાજી નીચે જ આવી જતાં હતાં. હવે શું કરવું? જાવડને વજસ્વામીજી કહે છે, મોતને માટે તૈયાર થવું પડશે. આ ૨થ ઉપર પહોંચ્યા પછી એ રથના પૈડા નીચે સૂઈ જવું જોઈએ. હવે આ એક જ માર્ગ છે. નવા કપર્દી સાહેબજીની સેવામાં હાજર છે. યક્ષની સહાયથી, જાવડની નિષ્ઠાથી અને વજસ્વામીની પવિત્રતાથી શત્રુંજય નિર્ભય બન્યું. તીર્ણોદ્વાર શક્ય બન્યું. એક નિયમ પાળવાની ક્રિયા ક્યાં પહોંચાડે છે. અલ્પ નિયમની પણ તાકાત જોરદાર છે. આપણી નિષ્ઠા, યોગ્યતા અને પુરૂષાર્થ જેમ જેમ ખીલતા જાય તેમ તેમ મોક્ષ નજીક આવતો જાય. #_utus_* *_I_E_FITH #VALS { ૨૮૯ 205 246243 2025 20 |____A_C(IT),_rievance be 24865 803

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336