________________
મનમાં ઉઠતા સારા-નરસા વિચારોને કાયમ ન માની લેશો. શુભ વિચાર આવે એટલે તરત અમલીકરણ કરી લેજો. નબળા વિચારોના અમલીકરણને વિલંબમાં નાખજો. મહાન આત્મા એને જ કહેવાય જે સારા વિચારો અમલમાં મૂકે. એ અધમ વિચારોથી સાત ગાઉ છેટે રહે. શુભ મૂહૂર્ત અને શ્રેષ્ઠ મૂહૂર્ત બન્નેમાં શું તફાવત? બન્ને અલગ છે. પ્રભુના શાસનને પામેલો આત્મા શ્રેષ્ઠ નહીં પણ શુભને કેન્દ્રમાં રાખે. જીવનમાં જેટલા લાભ છે એને શુભમાં બદલતા જાઓ. પુણ્યથી મળતા લાભોનું પણ શુભમાં રોકાણ કરી ધન્ય બનો. ભગવાનના શાસનની આખી વ્યવસ્થા ખૂબ ન્યારી છે. વિપ્નો આવે ત્યારે તો ધર્મ કરે પણ વિપ્ન ન હોય ત્યારે પણ ધર્મ કરતા રહેવાનું છે. મનમાં, ચિત્તમાં જે કાંઈ પણ સારો, શુભ વિચાર આવે તો અમલીકરણ તરત કરવું. * ગુરૂદેવ! મારા ૧૦૦ રૂા. હમણાં જ લો!
કચ્છ માંડવીમાં જૈન વાડીમાં આ વિષય પર જાહેર પ્રવચન હતું. ચાલુ પ્રવચને એક જૈનેત્તર ભાઈ ઊભો થઈને કહે સાહેબ! આ ૧૦૦ રૂા લઈ લો! સામાન્યથી પૂછતા જવાબ આપ્યો બસ, રાખી લો. ભાઈ, પ્રવચન પછી આપજે. તો કહે ના, હમણાં જ લઈ લો. પોતાની જીદ ઉપર ઉભો રહ્યો એટલે એને અત્યારે જ પૈસા આપવાનું કારણ પૂછતા તેણે કહ્યું, હમણાં જ પ્રવચનમાં સાંભળ્યું કે સારો વિચાર આવે તો અમલ તરત કરશો. પ્રવચન બાદ કદાચ વિચાર બદલાઈ પણ જાય. ભાવો ખૂબ ચંચળ છે. ચંચળ ભાવોને સ્થિર કરનાર ક્રિયા યોગ છે. જૈનધર્મનું ફળ અખંડ જોઈએ તો ભાવ પણ અખંડ જોઈએ.
ક્રિયા અખંડ હોય તો ભાવો પણ ખંડિત ન થાય.
પ્રભુના શાસનમાં સુલસાનો મસ્ત પ્રસંગ આવે છે. પ્રભુ વીરે સુલતાને ધર્મલાભ કહેવડાવ્યા આ વાત ઈન્દ્ર મહારાજે દેવલોકમાં કહી. દેવતાઓને પણ એની શ્રદ્ધાની પરીક્ષા લેવાનું મન થયું. નીચે આવી મુનિનો વેષ ધારણ કરી સુલતાના દ્વારે ઉભા રહ્યા અને કહે છે ગુરૂદેવ બિમાર છે એમને માલિશ કરવા લક્ષપાક તેલ જરૂરી છે. સુલતા પોતાની નોકરાણી પાસે તેલ મંગાવે છે. તેલ લઈ આવ. બિમાર સાધુની ઔષધિયુક્ત તેલ આવા સુકૃતનો લાભ કયારે મળે? નોકરાણીથી બાટલો લાવતા તૂટી જાય છે. બીજો બાટલો લાવવા મોકલે છે. બીજો પણ લાવતા તૂટી ગયો. ત્રીજો લાવતા, તેય તૂટી પડતા ચોથો બાટલો હાથમાં આપતા છટકી પડે છે. ચાર ચાર બાટલા તૂટી પડ્યા
as is a Y કોશકોશમાંainકાંs a Yiા
જs # Histiwasinisw Yiaiાકાળ