Book Title: Pravachan Parikamma Part 01
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 301
________________ * * * * * * * પગલું એક સતક્રિયા તરફ... શરીરના ભવો આ જીવને અનંતા મળ્યા છે એટલે શરીરથી આ જીવ પાપો પણ અનંતા આચા છે. કષ્ટોથી આપણને બચી જવું છે એટલે જ સક્રિયાઓ કરતા નથી અને કરવા જતા આપણે સમ્યક્ ફળથી વંચિત રહી જઈએ છીએ. આત્મદર્શન પછી કરજો. પ્રથમ શરીર દર્શન કરજો શરીર પરનો રાગ અવશ્ય તૂટશે. જે સાધકને કષ્ટો સાથે મૈત્રી નથી તે સાધક સાધનાનો આનંદ માણી શકતો નથી. મનમાં પેદા થતાં શુભ કે અશુભ વિચારોને કાયમી ન માની લેશો. પુણ્યથી મળતા તમામ લાભોનું શુભ માટે રોકાણ કરે એ જીવન જીતી જાય છે. કેવી કરૂણતા છે આપણા મનની. ધર્મનું ફળ આપણને અખંડ જોઈએ છે અને ભાવો તેમજ ક્રિયાઓ આપણે ખંડિત કરતા રહીએ છીએ. 'પાણી મેળવવા જો નદી તરફ ડગ માંડવા જ પડે છે તો શુભ ભાવો જગાડવા સક્રિયાઓ તરફ પગલા માંડવા જ પડશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે જ્ઞાનસાર ગ્રંથના આધારે ક્રિયા અષ્ટકમાં રૂચિની વાત સમજાવી. રૂચિ એ પ્રવૃત્તિની જનેતા છે. ક્રિયાની તાકાત સમજાવી રહ્યા છે. ક્ષાયોપશમિક ભાવમાં જે તપ/સંયમને અનુકૂળ ક્રિયા કરાય છે તે ક્રિયા પડી ગયેલાને પણ ફરીથી તેના ભાવમાં લાવી શકે છે. જ્ઞાનની નિષ્પતિ કેવી રીતે ક્રિયા કરી તેના ઉપર આધાર રાખે છે. દુષ્કાળના કાળમાં પાણી મેળવવાની ઈચ્છા થાય અને એ પાણી મેળવવા નદીના પટમાં ખોદકામ કરવાના પ્રયત્નો ક૨ીએ તો જરૂરથી સફળતા મળે. પાણી મેળવવા જો નદી તરફ ડગલા માંડવા જ પડે છે તેમ શુભ ભાવો જગાડવા સતત સન્ક્રિયાઓ જ આચરવી પડશે. ખોદકામ એવી જગ્યાએ કરાય જયાં પાણીની શક્યતા હોય.. ક્રિયાઓ એવી રીતે કરાય જે ભાવોની શક્યતા લાવી શકે. A rosest to receY3 ૨૮૧ 1_*_*_*_*_* *_*_*_*### RY is assi

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336