________________
* બોરડીમાં ચંપકભાઈ પુનમિયાનો પરિવાર છે. એમના ઘરે લગ્ન માટેની ચોરી નથી બંધાઈ. બધા ચારિત્રના માર્ગે ગયા છે. એમને પૂછતા કારણ જાણવા મળ્યું સાહેબ! અમે બધાને એ જ રીતે તૈયાર કરીએ છીએ.. + એક છોકરી એસ.એસ.સી.ની બોર્ડની પરીક્ષા આપે. ૨/૩ પેપર અપાયા પછી એ છોકરી અંતરાયમાં બેસી ગઈ. પરીક્ષા આપવાની ના પાડે છે. બધા સમજાવે છે કે તારું વરસ બગડશે. છોકરી જવાબ આપે છે પેપર લખીશ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાશે. વરસ બગડશે તે ચાલશે પણ ભવ બગડવો ન જોઈએ..
આ છે ધર્મની રૂચિ. આર્યુવેદમાં લખ્યું છે કે લોહી ભોજનથી નથી બનતું પણ ખાવાની રૂચિના કારણે થાય છે. આપણી સદ્ગતિ થશે તે ધર્મ કરવાના કારણે નહિ પણ ધર્મની રૂચિના કારણે સદ્ગતિ થશે. શ્રેણિક મહારાજ એક પણ તપ કર્યા વિના, ચારિત્ર લીધા વિના તીર્થકર નામકર્મ નિકાચન કર્યું શાના કારણે? કયા પરિબળના કારણે?
તેને મહાવીર ગમ્યા. બચાવનારું પરિબળ રૂચિનો ધર્મ છે, પ્રવૃત્તિનો નહીં. પ્રારંભિક કક્ષાના જીવો માટે પ્રથમ રૂચિ છે પછી પ્રવૃત્તિ છે. દેવચંદ્ર સૂરિ મહારાજે બનાવેલા સ્તવનમાં લખે છે કે –
ભગવાન મારી આગળ રૂચિ છે. એ રૂચિની નાવડીથી સંસાર સાગર પાર કરું તો તારો ભક્ત સાચો. કૂવામાં પડેલા ઘડા અને તેમાં રહેલ પાણીને બન્નેને બાહર લાવવાની તાકાત દોરડામાં છે...
રૂચિ, એ દોરડા સ્વરૂપે છે. એ આપણી પાસે છે તો આપણે રાજા છીએ. ક્રિયાના પ્રારંભે રૂચિ બહુ જરૂરી છે.
સંયમ જીવન એ મકાન છે. મહાવ્રત એ થાંભલાના સ્થાને છે અને યતિ ધર્મ એ દીવાલના સ્થાને છે. પરમ ગતિ માટે આ અનિવાર્ય છે.
રાજકારણ માનY HEAR
NAli Ratansinistી ૨૮૦.