________________
જ્યિાનો યોગ... તેનો પ્રયોગ... અંતે ઉપયોગ
શુભ ભાવની વૃદ્ધિ માટે શુભ ક્રિયા જરૂરી છે. 0 સંબંધને બાંધતા વર્ષો લાગે છે પણ બગડતા વાર લાગતી નથી તેમ
ભાવને જામતા વાર લાગે છે પણ ભાવને પડતા વાર લાગતી નથી. માટે મનને હંમેશા શુભ ક્રિયામાં જોડેલું રાખવું જોઈએ. ક્રિયામાં જેટલો ઉપયોગ પ્રબળ બને એટલો કર્મક્ષય સબળ બને છે. સંવરમાંથી આશ્રવમાં જવાનું થાય ત્યારે જેને દુઃખ લાગે તેનું નામ શ્રાવક. તમે જેમાં ઊંડા ઉતરો એ તમારામાં ઊડું ઉતરે. ભૌતિક પાત્ર કે પદાર્થમાં ઊંડા ઉતરશો તો દુઃખ વધશે. માણસને સુખી કરવાની તાકાત કોઈનીય નથી સિવાય પોતાની
સમજ.
એક લાખ મંદ મિથ્યાષ્ટિ આત્માઓ શુભક્રિયા દ્વારા જેટલું પુણ્ય મેળવે તેટલું પુણ્ય સમકિત દષ્ટિ આત્મા ક્ષણવારમાં પરમાત્માની પૂજાની ક્રિયાથી મેળવે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ “ક્રિયાષ્ટકમાં ક્રિયાનું મહત્વ સમજાવી રહ્યા છે. ગુણની વૃદ્ધિ માટે અને દોષના ઘટાડા માટે ક્રિયાઓ અવશ્ય કરવી જોઈએ. પ્રભુના માર્ગમાં આગળ વધવા માટે શુભ ક્રિયાઓ જરૂરી છે. કેવળજ્ઞાનીઓ ક્રિયા ન કરે તો ચાલે કારણ તેમને અપ્રતિપાતિ કેવળજ્ઞાન હોવાથી તેમના ભાવો પડતા નથી. છમસ્થ અવસ્થામાં ભાવો પડી જાય છે. શુભ ભાવોની વૃદ્ધિ માટે છબસ્થ એવા આપણને અવશ્ય ક્રિયાઓ કરવી જોઈએ. ક્રિયામાં પ્રમાદ આવી જાય તો આત્મા નીચે પટકાઈ પડે છે. શુભ ક્રિયાઓના યોગમાં સતત લાગી જવાનું છે. મનને પરોવી રાખવાનું છે. એક મકાન બનાવવામાં કેટલી મુશ્કેલી છે. સમય પણ ખાસ્સો લાગી જાય પણ એ જ મકાનને તોડવું હોય તો? આપણને કોઈ વ્યક્તિ સાથે સંબંધ બાંધતા કદાચ વર્ષો લાગે પણ એ સંબંધ કયારેક ઘડીના છઠ્ઠા