________________
ગયા. અહીંયા લડાઈ કરવા જેવી નથી. આ રાજાના વિશાળ સૈન્યની સામે આપણે તો ઘડીમાં હતા ન હતા થઈ જઈશું. જાસુસોની વાતો સાંભળી રાજા પણ ચિંતિત બન્યો. હવે શું કરવું. મંત્રીને બોલાવ્યો. મંત્રીને રાજાએ કહ્યું હવે શું કરવું જોઈએ? મંત્રીએ કહ્યું સવાર થાય એ પહેલા આપણે આ દેશની હદ છોડી આગળ નીકળી જઈએ એમાં જ મજા છે. માણસને ભય લાગે ત્યાંથી ભાગ્યા વિના ન રહે. સવારના રાજા જુએ છે તો પોતાના નગરની બહાર કોઈ છાવણીઓ નથી. સૈનિકોએ આવીને સમાચાર આપ્યા, મહારાજ! લડાઈ કરવા આવેલો રાજા લડાઈ કર્યા વિના જ ચાલ્યો ગયો.” રાજા આ સમાચાર સાંભળી ખુશ થઈ ગયો. રાણી પાસે જઈને સમાચાર આપે છે. આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ. લોકો કહેવા લાગ્યા કમાલ થઈ ગઈ. રાજા હાથી પર બેસી સાજન માજન સાથે ગૌરી શંકર મહારાજને લેવા ગયા. ગૌરી શંકર મહારાજનું રાજયમાં માન વધ્યું. આવું ઉંધું કરેલું પણ પુણ્યોદય જાગે છે ત્યારે માનનીય બને છે. ફરી એકવાર વિરાગનું બેકીંગ ત્યાગને મળવું જોઈએ. પુદ્ગલબંદી જીવ હવે આત્માનંદી બનવા તત્પર બને. વિરાગ પૂર્વકનો ત્યાગ વિતરાગ બનાવ્યા સિવાય રહેશે નહિ.
વાચનાપ્રસાદી.
સારો ગુરૂકુલવાસ મળે પુણ્યના આધારે, ફળે યોગ્યતાના આધારે,
દીક્ષા લેવા સાહસ જોઈએ દીક્ષા પાળવા સત્ત્વ જોઈએ દીક્ષાને સફળ બનાવવા સાચી સમજણ જોઈએ.
ત્યાગમાં છોડવાનો ભાવ છે, વૈરાગ્યમાં છુટકારાનો ભાવ છે.
જા જા જાડાશ નડાલા ડાકલા ડીજે મારા
કાકા કાકા કાકી કાકા કાલકાકાલ Railwa f1w Yeativities in this કાલાણી ૨ ૧ ૪ inc
Eા Y #
Iકામ