________________
ઉપશમથી જ શુદ્ધ થાય છે.
અહીં યોગારૂઢ થવાં એટલે કે સમભાવને સિદ્ધ કરવા શું કરવું જોઈએ અને યોગારૂઢ થયા પછી શું કરવાનું રહે છે એ બે પ્રશ્નોનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં પહેલાં યોગારૂઢ થવા આવશ્યકાદિ બાહ્ય ક્રિયાની જરૂર છે એ વાત જણાવી. યોગારૂઢ થવા ઈચ્છનારા મુનિ પ્રીતિ, ભક્તિ અને વચન રૂપ શુભ સંકલ્પમય અનુષ્ઠાનો દ્વારા અશુભ સંકલ્પોને હઠાવીને યોગારૂઢ બને છે= સમાધિને સિદ્ધ કરે છે. યોગારૂઢ થયા પછી બાહ્યક્રિયાઓની જરૂર નથી. યોગારૂઢ મુનિ બાહ્ય ક્રિયા વિના માત્ર શમથીસિદ્ધ કરેલી સમતાથી જ શુદ્ધ થાય છે.
પ્રશ્ન-તો શું યોગારૂઢ સર્વથા ક્રિયા રહિત હોય છે ? ઉત્તર- ના. યોગારૂઢને અસંગ ક્રિયા હોય છે. પ્રશ્ન-કેવા સાધુઓ યોગારૂઢ કહેવાય ?
ઉત્તર-જિનલ્પી, શ્રેણીએ ચઢેલા વગેરે સાધુઓ યોગારૂઢ છે. આવા સાધુઓને પ્રીતિ, ભક્તિ અને વચન ક્રિયા ન હોય, કિંતુ અસંગ ક્રિયા કે અત્યંતર ક્રિયા હોય. સમાધિ રૂપ યોગના અભ્યાસકાળમાં ચિત્તશુદ્ધિ માટે આવશ્યકાદિ બાહ્ય ક્રિયાઓની અપેક્ષા રહે છે. એ ક્રિયાઓ કરતાં કરતાં જયારે સમાધિ-સમભાવ રૂપ યોગ સહજ સિદ્ધ થઈ જાય છે ત્યારે ક્રિયાની અપેક્ષા રહેતી નથી, અશક્તિના કારણે લાકડીના ટેકે ચાલનાર ને શક્તિ આવ્યા પછી લાકડીની જરૂર રહેતી નથી તેમ.
ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति ।
विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ||४|| (૪) ધ્યાનવૃણે-ધ્યાનરૂપ વૃષ્ટિથી ત્યાઘા-દયારૂપ નદીનું શમપૂર-ઉપશમ રૂપ પૂર પ્રસર્વતિ-વધે છતે વિજાતીવૃક્ષાનાં-વિકાર રૂપ કાંઠાના ઝાડોનું મૂતા -મૂળથી નૂતનં- ઉખડવું મવે-થાય છે. (૪) ધ્યાન રૂપ વૃષ્ટિથી દયા રૂપ નદીનું શમ રૂપ પૂર વધે છે ત્યારે વિકાર રૂપ કાંઠાનાં વૃક્ષોનું મૂળથી ઉખૂલન થઈ જાય છે. - અહીં “ધ્યાન રૂ૫ વૃષ્ટિથી' એમ કહીને ધ્યાન એ શમનું સાધન છે એમ જણાવ્યું છે. ધ્યાન શમનું સાધન છે માટે જ પાંચ પ્રકારના યોગમાં ધ્યાન પછી સમતાનો નિર્દેશ છે.
• ૨૧૦ •