________________
'જ્ઞાનરૂપી ગજસેના...ધ્યાનરૂપી અશ્વસેના
જ્ઞાનસારના માધ્યમથી આપણને જીવનના વિકાસક્રમનું દર્શન કરાવી રહ્યા છે “શમાષ્ટકની મહત્ત્વતાનું દર્શન કરાવતા જણાવે છે કે બાહ્યજીવનમાં તોં ફેરફાર ઘણા થયા હવે આત્યંતરમાં પલટો લાવવો. પડશે. સ્વરૂપરમણતા પ્રાપ્ત કરવા માટે સમભાવથી ભાવિત બનવું પડશે. ભગવાન મહાવીર મળશે તોય કલ્યાણ નહીં થાય અને એક અભવ્ય આત્માથી કેવળજ્ઞાન મળી જશે. અભવ્ય આત્મા પણ કેવળજ્ઞાન અપાવી શકે. ભવ્યના હાથે જીવો તરે એના કરતા અભવ્યતાના હાથે વધારે તરે. મિથ્યાત્વ દશામાં રહેલાને ઉપકારી કરી શકીએ તો સહવર્તિ જીવોનો ઉપકાર કેમ નહીં? મન થાય ત્યારે જાતની નિંદા કરશો. જગતની નિંદા કયારેય ન કરશો. સમભાવ જેટલો કેળવાશે એટલે આત્માનું કલ્યાણ નજીક આવશે. યોગ ઉપર આરૂઢ થઈને સમભાવને ધારણ કરે તે ખરેખર વંદનીય છે. સમભાવ વગર ઉદ્ધાર નથી. જ્ઞાની-ધ્યાની-તપસ્વીમાં પણ જયારે સમભાવ પ્રગટે ત્યારે મોક્ષમાં જઈ શકે. ત્રણ દિવસ માટે ક્રોધ નહીં કરવાનો તમો નિયમ લો ખરા? ક્રોધ કર્યા વિના ચાલે નહીં એવી માન્યતામાં ફસાઈ ગયા છો. દરેક પાત્ર-પદાર્થ ઉપર સમભાવ કેળવતા જાઓ. સમભાવ હશે ત્યાં વૈરાગ્યભાવ પ્રગટ થાય છે જે લોકહેરીમાં તણાતો નથી એ જ ખરો યોગી છે.
ભર્તુહરિ અને ગોપીચંદ બન્ને સંત ભક્તોથી છૂટવા માટે નાટક કરે છે. ગુરુ પોતાના શિષ્યને કહે છે આજે ભિક્ષામાં રોટલો લઈ આવજે. શિષ્ય રોટલો લઈ આવ્યો. ઘણા બધા ભક્તો ત્યાં હાજર છે. ગુરુ શિષ્યના હાથમાંથી રોટલો ઝૂંટવી લે છે. શિષ્ય કહે છે આ રોટલો મારો છે. હું લાવ્યો છું. એક રોટલા માટે બન્ને વચ્ચે ખૂબ લડાઈ જામી ગઈ. આ જોઈ ભક્તો કહેવા લાગ્યા, એક રોટલા માટે જે લડે છે તેને નમવાથી શું? ભક્તો આવવાના બંધ થઈ ગયા. આ સંતોને તો એટલું જ જોઈતું હતું. દુનિયા અમારી પાછળ પડે તો અમે નક્કી પડવાના.
જ્ઞાનીઓ કહે છે નસીબ જાગે છે ત્યારે ઊંધું કરેલું પણ સારું બની જાય છે. એક છોકરીનું ક્યાંય ઠેકાણું ન પડે. કેટલાય બ્રાહ્મણોને બોલાવ્યા, કથા કરાવી પરંતુ છોકરી માટે કોઈ યોગ્ય વર મળતો નથી. છોકરીના મા-બાપ બધા જ યોગ્ય જમાઈની શોધમાં છે. એક દિવસ છોકરીના બાપને એનો જાણીતો | ભાઈબંધ મળી ગયો. એકબીજાને ખબરઅંતર પૂછે છે. છોકરીનો બાપ કહે છે
= • ૨૧૦ •