________________
G
शमाष्टकम्
विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । જ્ઞાનચ. પરિપાળોય:, સ શમ: રિઝીર્તિતઃ ||૧||
(૧) વિત્ત્ત-વિષય-ત્તીર્ણ:-વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ સવા-નિરંતર સ્વમાવાતમ્બન-આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જ્ઞાનસ્યજ્ઞાનનો ય:-જે પરિપા-પરિણામ સ:- તે શમ:-સ્વભાવરિષ્ઠતિત:-કહ્યો છે. (૧) જેમાં ઈષ્ટપણાની અને અનિષ્ટપણાની કલ્પના નથી અને નિરંતર આત્માના શુદ્ધ સ્વરૂપનું આલંબન છે એવો જ્ઞાનનો પરિપાક એ શમ છે. આ શમ યોગના પાંચ ભેદોમાં સમતારૂપ ચોથો ભેદ છે. યોગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમાધિ અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદો છે. ઉચિત વૃત્તિવાળાળા વ્રતધારીનું મૈત્રી વગેરે ભાવ સહિત જિનપ્રણીત શાસ્ત્રાનુસારે જીવાદિ તત્ત્વોનું ચિંતન તે અધ્યાત્મયોગ છે. (૧) જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મનો ક્ષય, (૨) વીર્યોલ્લાસ રૂપ સત્ત્વપ્રાપ્તિ, (૩) ચિત્ત સ્વસ્થતા રૂપ શીલ,અને (૪) શુદ્ધ રત્નના પ્રકાશ જેવો સ્થિર બોધ એ ચાર અધ્યાત્મયોગનાં ફળો છે. અધ્યાત્મનું સેવન કરનારને અધ્યાત્મયોગથી મોહરૂપ વિષના વિકારોનો વિનાશ થાય છે એવો અનુભવ થાય છે. આથી આ અધ્યાત્મયોગ અનુભવ સિદ્ધ અમૃત છે.
ચિત્તમાંથી કામક્રોધાદિ કિલષ્ટ ભાવોને દૂર કરીને અધ્યાત્મયોગનો જ વૃદ્ધિ પામતો વારંવાર અભ્યાસ તે ભાવનાયોગ. (૧) કામ-ક્રોધાદિ અશુભ અભ્યાસની નિવૃત્તિ (૨) જ્ઞાનાદિ શુભ અભ્યાસની અનુકૂલતા અને (૩) ચિત્તવૃદ્ધિની વૃદ્ધિ એ ત્રણ ભાવનાયોગનાં ફળો છે.
સૂક્ષ્મ ઉપયોગ યુક્ત અને પવન રહિત ગૃહમાં રહેલા દીપકની જેમ સ્થિર ચિત્તની કોઈ એક વિષયમાં એકાગ્રતા તે ધ્યાન. (૧) સર્વ કાર્યોમાં સ્વાવલંબન-પરાધીનતાનો અભાવ, (૨) સર્વ કાર્યોમાં સ્થિરતા, અને (૩) ભવના અનુબંધનો વિચ્છેદ, અર્થાત્ ભવની પરંપરા થાય તેવા કર્મબંધનો અભાવ એ ત્રણ ધ્યાનયોગનાં ફળો છે.
• ૨૦૮ •