________________
કે સાહેબ આજે સવારના બ્રેકફાસ્ટ કરવા બેઠો. હું દરરોજ એક કપ ચા અને ત્રણ પૂરી લઉં છું. આજે બે કપ ચા અને પાંચ-છ પૂરી વાપરી. આજથી ૩૦ વર્ષ પહેલા મારા ધર્મપત્નિ ગુજરી ગયા. એકનો એક છોકરો ખૂબ જ લાડલો હતો. દીકરા ખાતર બીજા લગ્ન કર્યા. દીકરાને મોટો કરી પરણાવ્યો. આજે એ દીકરાની વહુએ મને કહી દીધું પપ્પા! ચા-પુરી વધારે લો એનો વાંધો નહીં. પરંતુ તમારે આગલે દિવસે કહી દેવું જોઈએ. મારાથી બીજી વાર પાછું થશે નહિ. કોઈનાય દિલને વચનોથી દુભવશો નહિ. જીભ જેવી કોઈ છરી નથી. ચપ્પની ધાર તો હજી ઘસાય પણ જીભની ધાર તો ઉંમર વધતા તેજ બને છે.
શ્રેણિક પાસે જ્ઞાનદષ્ટિ હતી માટે તે સુખી હતો. સમજ ક્યાં છે એને મોટામાં મોટું દુઃખ પણ દુ:ખી બનાવી શકતો નથી. નિરપેક્ષ ઐશ્વર્ય જોઈતું હોય તો જ્ઞાન દષ્ટિ મેળવો. આ સંસારની અંદર જ્ઞાન જ એવું અમૃત છે જે આત્માને અમર બનાવે છે. જે કાંઈ દુઃખ આવે એને પોતાના જ કર્મોની ભેટ તરીકે સ્વીકારી લેવાથી ચિત્ત પ્રસન્નતા જળવાઈ રહે છે.
આજ સુધી જ્ઞાનદૃષ્ટિ આપણામાં વ્યાપેલી હતી એને બદલે જ્ઞાનદષ્ટિ કેળવી લો. ત્રણ મિત્રો ભેગા થાય છે. એમાંથી એક મિત્રો કહે છે મારા પિતાજી મારા માટે ૧૦ લાખ રૂ મૂકીને ગયા છે. બીજો મિત્ર કહે છે મારા પિતાજી મારા માટે ૧૦ લાખ રૂી ઉપરાંત એક બંગલો પણ મૂકી ગયા છે. આ બે મિત્રોની વાત સાંભળી ત્રીજા મિત્રો કહ્યું મારા પિતાજી. તો આખી દુનિયા મારા માટે મૂકી ગયા છે. આ પણ જ્ઞાનદષ્ટિ છે. અજ્ઞાન હંમેશાં અધુરાશ જોશ અને જ્ઞાન હંમેશા મધુરાશ જોશો. એની નજર પૂર્ણતા તરફ હશે. જ્ઞાની દરેક પરિસ્થિતિમાં સમજ કેળવી લેતા હોવાથી સુખી બને છે. જ્ઞાન ન હોવા છતાં આપણને સુખ મળી જાય છે એ આપણું પુણ્ય છે. પુણ્યના પ્રભાવે સુખ મળી જાય છે. અને ધર્મને હાથમાં રખાયેલ દીવાની ઉપમા આપી છે. જ્ઞાનીઓએ પુણ્યને સાંકળે બંધાયેલ દિવાની ઉપમા આપી છે. સાંકળ હોવાથી મર્યાદા છે જયારે સમજણનો સૂરજ લઈને ગમે તે સ્થળ, પ્રસંગમાં જશે તો ત્યાંય અંધારું હટાવી પ્રકાશની અનુભૂતિનો સ્પર્શ કરાવશે. શાનદૃષ્ટિ જાગૃત હશે તો ખરાબ પરિસ્થિતિમાંય માર્ગ નીકળી આવશે. સમજના સુખથી લીન બની...દીનતાથી છ ગાઉ છેટા રહો....
હw 22