________________
'જ્ઞાની તો માનસરોવરના હસ જેવા છે...!
સામાન્ય પ્રસંગોમાં જે અસામાન્ય રીતે વર્તે છે તે જ્ઞાની અને
અસામાન્ય પ્રસંગોમાં જે સામાન્ય રીતે વર્તે તે અજ્ઞાની. જ આધ્યાત્મિક જ્ઞાનના માનસરોવરમાં ડૂબકી મારતો હોય તે જ્ઞાની અને
ભૌતિક પદાર્થ તરફ જ આકર્ષણ થાય છે તે અજ્ઞાની. વાસના અને કામના તરફનું આકર્ષણ તે અજ્ઞાની, ઉપાસના અને ભાવના તરફ જે ખેચાય તે જ્ઞાની.
જિંદગીના છેલ્લા ગ્રંથમાં ન્યાયવિશારદ ઉપા. શ્રી યશોવિજયજી જ્ઞાનસારના પાંચમાં અષ્ટકમાં જ્ઞાની અને અજ્ઞાનીનો પાયાનો ભેદ સમજાવે છે. સામાન્ય રીતે જાણકારીના સ્તર ઉપર રાચતો હોય તે જ્ઞાની નથી. સાચા જ્ઞાનીની વ્યાખ્યા બહુ ધ્યાનથી આપણે સાંભળીએ. સાચા જ્ઞાનીનું લક્ષણ શું? એનું આંતરિક આકર્ષણ કયાં હોય? માનસરોવરનો હંસ પોતાની નજર માનસરોવરમાં જ માંડે અને ચાંચ મોતી ઉપર જ મારે. સગુણોની ઋચી અને અધ્યાત્મના પાણી પીએ તે જ સાચો જ્ઞાની છે. હંસ પાસે ઉજજવળતા હોય તેમ જ્ઞાનીઓ પાસે નિર્મળતા હોય.
સામાન્ય પ્રસંગોમાં જે અસામાન્ય રીતે વર્તે તે જ્ઞાની અને અસામાન્ય પ્રસંગમાં પણ જે સામાન્ય રીતે વર્તે તે અજ્ઞાની. ભૂંડનું આકર્ષણ કયાં? અને રાજહંસનું આકર્ષણ કયાં? બન્ને આત્મા છે પણ એકની નજર મોતીના ચારા તરફ અને બીજાની નજર વિઝા ઉપર. સંસારના સુખો સડેલા સફરજન પર લગાડેલા વરખ જેવા છે. બધા બહારથી દેખાવમાં સારા લાગે છે, આકર્ષક લાગે છે પણ અંદર જોવા જેવા નથી. આ જ્ઞાનીની દૃષ્ટિ છે. જ્ઞાનદષ્ટિ નથી ત્યાં સુધી બહારનું સારું દેખાશે. ઉપર રાગ છે અંદર વિરાગ છે.
પ્લેનમાં ઘણા જણા સફર કરી રહ્યા હતા. એક સીટ પર એક જેન્ટલમેન બેઠો હતો. હાથની પાંચેય આંગળીઓમાં હીરાની વીંટીઓ છે. પરફયુમની સુંગધથી આખો કોટ હેંકી રહ્યો છે. ગોલ્ડન ફ્રેમવાળા ચમા છે. ભારે પર્સનાલીટી પડી રહી હતી. એવા માણસની બાજુમાં જેને બેસવા મળ્યું એ ભાઈ પોતાને ધન્ય માને છે. પોતાના નસીબને વખાણે છે. જેન્ટલમેનની બાજુમાં બેસવા મળ્યું એનું ગૌરવ થાય પણ ગુરુદેવની સીટની
= • ૧૮૨ •