________________
(૮) મનીષિ:-પંડિતો જ્ઞાનં-જ્ઞાનને અસમુદ્ર-૩i-સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું પીયૂષમ્-અમૃત અૌષધમ્ ઔષધ વિનાનું રસાયન-જરા અને મરણનો નાશ કરનાર રસાયણ અનન્યાપેક્ષમ્-બીજાની અપેક્ષા વિનાનું પેશ્ચર્યપ્રભુત્વ આદુ:-કહે છે.
(૮) પંડિતો જ્ઞાનને સમુદ્રમાંથી નહિ ઉત્પન્ન થયેલું અમૃત, ઔષધ વિનાનું રસાયણ અને અન્યની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય કહે છે.
લોકપ્રસિદ્ધ અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે. (એવી લોકમાન્યતા છે.) જયારે જ્ઞાન રૂપ અમૃત આત્મામાં જ પ્રગટ થાય છે. લોકપ્રસિદ્ધ રસાયણ માટે ઔષધના પ્રયોગો કરવા પડે છે. જયારે જ્ઞાન રૂપ અમૃત માટે તેવા પ્રયોગો કરવા પડતા નથી. લૌક્કિ ઐશ્વર્ય માટે સંપત્તિ આદિ બાહ્ય સાધનોની અપેક્ષા રહે છે, જયારે જ્ઞાન રૂપ ઐશ્વર્ય માટે તેની જરૂર પડતી નથી.
આપણી સંપત્તિ ક્યાં વપરાય છે? કો'કનું જીવન બચાવવામાં
કો’કના આંસુ લૂછવામાં
કો'કના જીવનને ઉત્સાહસભર બનાવવામાં...
ઉપકારીઓની ભક્તિ કરવામાં...
કમજોરોને સાચવી લેવામાં
આ બધામાં વપરાય તો એ સંપત્તિની વાવણી છે.
અહીં તો વેડફાય છે ચિક્કાર...
વપરાય ઓછી અને વાવવાની વાતમાં ગલ્લાં-તલ્લાં
ખરુંને?
· ૧૮૧ ·