________________
(૫) પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના શુદ્ધ જ્ઞાન દર્શન-ચારિત્રાદિ ગુણોમાં અને પોતાના શુદ્ધ વ્યંજન અર્થ પર્યાયમાં રમણતા હિતકર છે. પરાઽન્યથા ૫૨દ્રવ્ય ગુણ પર્યાયમાં રમણતા હિતકર નથી. આ પ્રમાણે મુનિના જ્ઞાનનો સંક્ષેપથી સાર છે, જે મુનિના આત્માને સંતોષ આપે છે.
-
અષ્ટ પ્રવચન માતાથી આરંભી ૧૪ પૂર્વે સુધી મુનિનું શ્રુતજ્ઞાન હોય છે. એ બધા જ્ઞાનનો સંક્ષેપથી સાર શો ? એ પ્રશ્નના ઉત્તરમાં અહીં જણાવ્યું છે કે પોતાના શુદ્ધ આત્મ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં રમણતા હિતકર છે અને પર દ્રવ્ય ગુણ-પર્યાયમાં ૨મણતા અહિતકર છે. મુનિના શ્રુતજ્ઞાનનો સંક્ષેપથી આ સાર છે. સંક્ષેપથી સારવાળું આ જ્ઞાન મુનિના આત્માને ૫૨મ સંતોષ આપે છે. આથી મુનિ બાહ્ય ભાવોમાં ન ૨મતાં કેવળ સ્વભાવમાં જ રમે છે.
अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञान, किं चित्रैस्तन्त्रयन्त्रणैः ? प्रदीपाः क्वोपयुज्यन्ते, तमोध्नीद्दष्टिस्वे चेत् ? ॥६॥ (૬) પેટ્-જોઇિિમજ્ઞાનં-ગ્રંથિભેદથી થયેલું જ્ઞાન અસ્તિ- છે. (તો) વિત્રઅનેક પ્રકારના તન્ત્રયન્ત્રૌ:-શાસ્ત્રનાં બંધનોથી ?િ-શું? વે-જો ષ્ટિઆંખÇ-જ તમોઘ્ની-અંધકારને હણનારી (છે તો) પ્રીવા:-દીવાઓ ત્રક્યાં મુખ્યત્તે ?-ઉપયોગી થાય ?
(૬) જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું આત્મપરિણતિવાળું જ્ઞાન છે તો વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે ? જો દૃષ્ટિ જ અંધકારનો નાશ કરનારી છે તો દીવાઓની શી જરૂર ?
દીપક અંધકાર દૂર કરવાનું સાધન છે. આથી જેની આંખ જ અંધકારનો નાશ કરતી હોય તેને દીપકની જરૂર પડતી નથી. તેમ, શાસ્ત્રો હેય-ઉપાદેયના વિવેક રૂપ (આત્મપરિણતિમત્ ) જ્ઞાનનું સાધન છે. આથી જો ગ્રંથિભેદથી (સમ્યકત્વની પ્રાપ્તિથી) એ જ્ઞાન થઈ જાય તો વિવિધ શાસ્ત્રોની જરૂર પડતી નથી.
લાલબત્તી - આનો અર્થ એ નથી કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી વિવિધ શાસ્ત્રોનું અધ્યયન નકામું છે. સમ્યયગ્દર્શન થયા પછી પણ સમ્યગદર્શનને વધુ શુદ્ધ અને સ્થિર બનાવવા માટે વિવિધ શાસ્ત્રોનું અધ્યયન ઘણું જ જરૂરી છે. અહીં જો ગ્રંથિના ભેદથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે તો વિવિધ શાસ્ત્રોનાં બંધનોનું કામ નથી એવું કથન ગ્રંથિભેદથી થતા આત્મપરિણતિમ્ જ્ઞાનની મહત્તા અને ગ્રંથિભેદ વિના થતા વિષય પ્રતિભાસ
• ૧૯ •