________________
છે. વાણી સમયસરની શોભે છે.
સમય વિણ શોભે નહીં પરમાત્માનું નામ, વિવાહ ટાણે ગણપતિને મરણ ટાણે રામ.
અવસરોચિત્ત વાણી બોલાવી જોઈએ. તોતડી જીભ ચાલે પણ તોછડી જીભ ન ચાલે. કયારેક માણસના બે શબ્દો ગ્રંથ જેટલું કામ આપી શકે. પ્રહસ્તિ પવનંજયને કહે છે આ ચક્રવાકીની તને વેદના થાય છે ને? પવનંજય કહે છે એકવાર તું એને શાંત કર. પ્રહસ્તિ કહે છે દોસ્ત! મારી એક વાત સાંભળીશ? પવનંજયની નજર પ્રહસ્તિ તરફ મંડાઈ છે. આ વેદના તને ખરેખર બેચેન કરે છે ને? પાછો પ્રહસ્તિ અટકી જાય છે. પવનંજય કહે છે તારે જે કહેવું હોય તે દિલ ખોલીને કહે. અવસર જોઈને પ્રહસ્તિ પવનંજયને કહે છે ૧૨ કલાકના વિયોગના દુઃખથી આ ચક્રવાકી કેટલું રડે છે તો મહેન્દ્રપુરના મહેલમાં ૨૨-૨૨ વર્ષના વિયોગે અંજના કેવી તરફડતી હશે? પ્રહસ્તિની વાત સાંભળી પવનંજય ૨ડી પડ્યો.મરદ માણસ પણ લાગણીના ક્ષેત્રે ઢીલો પડી જાય છે. દરેક વ્યક્તિના ખૂણામાં પ્રેમની ધારા વહેતી હોય છે. એનો જો સ્પર્શ કરતા આવડે તો આજેય પ્રેમની ગંગા વહે. પવનંજય કહે છે હમણાં જ જઈને એની પાસે માફી માંગી આવીએ. પ્રહસ્તિ કાલે જવાની વાત કરતાં પવનંજય કહે છે મારે તો હમણાં જ જવું છે. અણુની ભઠ્ઠી કે વિજળીની ભઠ્ઠીના તાપ કરતાંય પશ્ચાતાપનો અગ્નિ ભયંકર છે. અંતર બળે છે પછી એને પ્રાયશ્ચિતતા પાણી વિના એને ટાઢક મળતી નથી. વિદ્યાધરો હતા એટલે તરત મનની ઈચ્છા પ્રમાણે અંજનાના મહેલમાં પહોંચી ગયા. પ્રહસ્તિ કહે છે અંજના સતીનું જીવન કેવું પવિત્ર છે તે જુઓ. પ્રહસ્તિ બારણે ટકોરા પાડે છે. વસંતા પૂછે છે કોણ છો? જવાબ મળ્યો હું પ્રહસ્તિ છું. અંજના કહે છે આ મહેલમાં આવવાનો અધિકાર પવનંજય સિવાય કોઈનો નથી. પ્રહસ્તિ કહે છે માતા અંજના હું અગત્યના કામે આવ્યો છું. અંજના કહે છે ઘા ઉપર મીઠું છાંટો છો. પ્રહસ્તિ કહે છે હું સાચું જ કહું છું. અંજનાના દેહમાં પણ આનંદ ઉભરાય છે. અંજના વસંતાને કહે છે મારા દેહમાં રોમાંચ થાય છે. એથી કદાચ એ આવ્યા હોય. ત્યાં જ પવનંજય દ૨વાજા પાસે આગળ આવીને બોલે છે મહાસતી અંજના ગુનેગાર પવનંજય તમારા દરબારે માફી માંગવા આવ્યો છે. વસંતા દ૨વાજો ખોલે છે. પવનંજય અંજનાને કહે છે મને માફ કરો. માફી માંગતાય શરમ આવે છે. અંજના કહે છે એક શબ્દ બોલતા નહીં. ૨૨ વર્ષ સુધી દુ:ખ પડ્યું
· ૧૭૪ ·