________________
. જીવન પ્રાસાદ બનાવે : પ્રણામ...!
ઉપાધ્યાયજી મ. જ્ઞાનસારનો સ્વાધ્યાય કરાવતા મોહની ઓળખ કરાવી રહ્યા છે. અહંકાર કયાંય જામવા દેતો નથી. અસ્થિરતાનું કારણ મોહ છે. વ્યવહારમાં પ્રેમાળ બનવાની ભૂમિકા બતાવે છે. મંદોદરી રાવણને કહી રહી છે મારામાં શું ઓછું છે તે સીતાને ઉપાડી આવ્યા છો. સીતામાં વધારે શું છે તે પાગલ બન્યા છો. રાવણ મંદોદરીને કહે છે તું મારા પર વિશ્વાસ રાખજે. પૂર્વના કાળમાં રોજ સવારે પત્નિ પતિને પગે લાગતી. પ્રણામ તો આ સંસ્કૃતિનો પ્રાણ હતો. સ્વામિ ! તમે પરસ્ત્રીને ઉપાડી કેમ લાવ્યા? મારું માનતા હો તો સીતાને પાછી સોંપી દો. મંદોદરી રાવણને કહે છે. મંદોદરી ! એની ઈચ્છા વગર એનો સ્પર્શ પણ નહીં કરું. એકવાર રામ સાથે યુદ્ધ કરી સીતાને પાછી સોંપી દઈશ. મંદોદરીની કેવી યોગ્યતા છે. યુદ્ધની ભયાનકતાનો ચિતાર સ્વામિને સમજાવે છે. જો યુદ્ધ ન થાય તો હજારોના લોહી નહીં રેડાય... હજારો સ્ત્રીઓ વિધવા થતા બચશે. ઘરના ઘરડા વડિલોની લાકડી નહિ ભંગાય. રાવણ મંદોદરીને કહે છે કે તારી વાત સાચી છે. મંદોદરી કહે છે સીતાને સોંપવી જ છે તો હમણાં જ સોંપી દો. રાવણ કહે છે. એકવાર ઉપાડીને લાવ્યા બાદ એમને એમ પાછી સોંપી દઉં તો મારા નાકની ઈજ્જત શું? હું અને મારું ભલભલાને આંધળો બનાવે છે. અહંકાર જાગે ત્યારે આત્મછલના થાય. દંભ આપણી વાણીમાંથી નીકળે છે. એકવાર રામને યુદ્ધમાં હરાવીને પછી સીતાને સોંપવા હું તૈયાર છું. મંદોદરી ઘણું સમજાવે છે. અહંકારનો ઝેર ચડ્યો હોય તેને ગમે તેવા ગારુડીઓ આવે તો પણ ઝેર ઉતરવાનું નથી. આઈ અને માઈની મોટી ખાઈ છે. એમાં પડ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. હું અને મારાના નાનકડા પોઈન્ટ ઉપર બાહુબલીને કેવળજ્ઞાન અટકી ગયું. મહાન કિંમતી એવું કેવળજ્ઞાન પામી ન શકવાનું કારણ? અહંકાર. મારા નાના ભાઈઓને હું વંદન કરું? ખલાસ. ઘણીવાર બધા બોલતા હોય છે હું મિચ્છામિ દુક્કડમ માંગવા તૈયાર છું. પણ એ માંગવા આવે તો. આધ્યાત્મિક દુનિયામાં પ્રતિબંધક તત્ત્વ અહંકાર છે. હું અને મારું જયાં આવે છે ત્યાં ભવસાગરથી તરવાનું બારું બંધ થઈ જાય છે. હું અને મારું છોડાય તો તરવાનો ચાન્સ મળી જશે. હું અને મારાની અંદર અણમોલ જિંદગી વિતાવી દીધી હવે મારુંની જગ્યાએ આપણું બોલતા શીખીશું તો ઘરનું તાપણું ફરી જશે. મોહરાજાના મંત્રોને દેશવટો આપી દો. મોહ જયાં સુધી નહીં ઘટે ત્યાં સુધી
= • ૧૨૦ •