________________
✩
✩
☆
✩
તીરખો પણ હરખો તહીં.....
ઘરસંસારમાં અને આધ્યાત્મિક જીવનમાં પુરુષની જીંદગીમાં અહંકાર અને સ્ત્રીની જીંદગીમાં મમકાર ભયંકર આગ લગાડે છે.
ધરતીકંપ કરતાંય ધિક્કારકંપ ભયંકર હોય છે.
મોહનીય કર્મના ક્ષયોપશમ વગર આત્માને આંશિક પણ સુખનો અનુભવ થતો નથી.
આંખમાં પડેલ તણખલું આંખની શક્તિમાં રૂકાવટ કરે, પગમાં વાગેલ કાંટો ચાલવાની ગતિમાં અવરોધ કરે તેમ કષાય આવી જાય તો સદ્ગતિ માટે પ્રતિબંધક થાય.
નથી ગયો અંતરનો સડો માટે પરમાત્મા પાસે જઈને રડો. કર્મબંધનું કારણ નીરખવું નથી પણ નીરખીને હરખવામાં છે. જે સમજણના ઘરમાંથી જાય તે ગેરસમજણના ઘરમાં પહોંચી જાય.
માંગલિક થતો દીવો અંતિમ વખતે અધિક અજવાળું ફેલાવીને પૂર્ણ થાય છે. એ દીવાનો અંતિમ સમયનો ઝબકારો અધિક તેજસ્વી સુંદર દેખાય છે તેવી જ રીતે યશોવિજયજી મ. પોતાના જીવન બુઝાવવાના અંતિમ સમયે આ મહાન જ્ઞાનસાર ગ્રંથની રચના કરી છે. આરાધના-ઉપાસનાની અનેક જડીબુટ્ટીઓ બતાવતા નિર્મોહી બનવાની પ્રેરણા કરી રહ્યા છે. જ્ઞાનરૂપી દર્પણમાં જેણે પોતાના સમસ્ત આત્યંતર અવયવોને જોઈ લીધા છે તેને બાહ્ય અવયવો ઉપર કોઈજાતનો રાગ-દ્વેષ નહીં થાય. જ્ઞાની ભગવંતો કહે છે દર્પણ દ્વારા આવ્યંતર અવયવો નીરખ્યા પછી બહાર નીરખવાનું હોતું નથી. જયાં નીરખવાનું નથી ત્યાં હરખવાનું હોતું નથી. નીરખવું કર્તારૂપે હોય છે, જયારે કોઈપણ પદાર્થને આપણે કર્તારૂપે જોઈએ છે ત્યારે જ હરખીએ છીએ. સાક્ષીભાવ આપણને કર્તા ભોક્તામાંથી દૂર લઈ જાય છે. સાક્ષીપણાનો ભાવ જાગૃત થવો એ સૌથી કિંમતી ભેટ છે. એકવાર તમારી ષ્ટિનો ઉઘાડ થઈ જાય પછી તમારે કોઈ ઉદ્ઘાટન કરવાની જરૂર રહેતી નથી. શુદ્ધ આત્માને જેણે જોઈ લીધો એને જગતના કોઈપણ પદાર્થોને જોવાનો મોહ લાગતો નથી. નીરખવામાં કર્મબંધ નથી પણ નીરખીને
• ૧૫૨ ·