________________
પ્રમાણે કોર્ટમાં જઈને લગ્ન કર્યા. એકબીજાએ સહી કરી અને બન્ને જણ કોર્ટના પગથીયા ભેગા ઉતર્યા. પગથીયા ઉતરતા ઉતરતા છોકરીએ પોતાના પતિને પૂછ્યું, આપણે હનીમુન માટે કયાં જશું? છોકરાએ જવાબ આપ્યો આપણે આપણા જ દેશમાં જશું. છોકરીએ કહ્યું આપણે પેરીસ જશું. છોકરો કહે એ નહીં બને એકવાર દેશમાં પછી ફરી કયારેક પેરીશ જશું. છોકરીએ હઠ પકડી તમારે પેરીસ ચાલવું જ પડશે. છોકરો કહે છે ચાલ પાછી ઉપર. બન્ને જણાએ પાછા ઉપર જઈને ડાઈવોર્સ (છૂટાછેડા લઈ લીધા. આ છે સંસાર? જો કર્મોના દોષ જોતા આવડી જાય તો જિંદગીમાં દુઃખ જેવું કશું જ નથી. યુદ્ધમાં જવા માટે શુભ દિવસ નક્કી થાય છે. શુભ ઘડીએ શુભ પ્રયાણ થાય છે. પવનંજય પોતાના મિત્રો સહિત સૈન્ય સાથે પ્રજાજનોના શુકન લઈ પ્રસ્થાન કરે છે. અંજના પણ વસંતાને કહે છે તું આરતી વગેરે તૈયાર કર. મારા સ્વામિના હું પણ ઓવારણા લઈશ. આપણે કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર કરીએ એ વ્યક્તિને પણ હૃદય હોય છે. આપણે જૈનો બીજ-પાંચમ-આઠમ-અગિયારસ-ચૌદસ-પૂનમ આદિ તિથિઓમાં લીલોતરી ઉપર છરી ન ફેરવીએ. બસ! શંકાના ઝેર મચાવે કેર. વસંતાએ આરતી તૈયાર કરી. ચોખ્ખા ઘીનો દીવો થાળમાં તૈયાર કર્યો છે. યુદ્ધમાં જતા પતિને મંગલ કરવા માટે અંજના સાત માળથી નીચે ઉતરી. રાજમાર્ગના કિનારે આવીને ઉભી રહી. બે કલાક પહેલેથી જ પતિના દર્શન માટે અંજના અધીરી બની છે. પ્રિયના માર્ગને જાણવો એ પણ લહાવો હોય છે. શ્રેણિક મહારાજા એટલે તો પરમાત્મા જે દિશામાં હોય એ તરફ સોનાના જવલાથી દરરોજ સાથિયો કરી પરમાત્માને ભાવથી વંદન કરતા. ભગવાન આજે આ સ્થળે છે એવા સમાચાર આપનારને માથાના મુગટ સિવાયના બધા અલંકારો ભેટમાં આપી દેતા. અંતરમાં રહેલા ભાવની કિંમત છે. કર્મના ગણિત ખૂબ ન્યારા છે.
ચાર દૃષ્ટિઓ છોડો (૧) કમળાના રોગીની દષ્ટિ, (૨) ઘુવડની દષ્ટિ,
(૩) સમડીની દષ્ટિ, (૪) ઘેટાની દષ્ટિ
- ૧૦૧