________________
પંક્તિ યાદ આવે છે. બન્ની સબ મીટ્ટીકી બાજી ઉસમે હોત કયું રાજી. જે પુદ્ગલની બાજીમાં રાજી કે નારાજી થાય છે એના ગુણોની હરાજી થાય છે. આ વાત એકદમ તાજી છે. એમ આ વાત અંતરમાં એકવાર સાજી બની જાય તો જીવનમાં કદી નારાજી ન આવે. પુદ્ગલ પદાર્થમાં પણ કયાંય ગમો કે અણગમો નહીં. પુદ્ગલ એના નામ પ્રમાણે વર્તે છે. તું તારા શુદ્ધ સ્વરૂપે વર્તતો જા. તમે જેટલા અંદર ઉતરશો એટલા એ ભાવો તમારી અંદર ઊંડા ઉતરશે.
એક ભાઈ કહે મહારાજ વ્યાખ્યાનમાં તો આવવાની બહુ ઈચ્છા થાય છે પણ આવી શકતો નથી. ન આવવાનું કારણ? મને માણસની એલર્જી છે. સુગંધ-રંગની ઘણાને એલર્જી હોય છે તેમ ઘણાને દેવ-ગુરુની પણ એલર્જી છે. ઘણાને જિનવાણીની એલર્જી હોય છે. એવા આત્માઓ માટે સદ્ગતિની પણ એલર્જી જ રહેવાની. આ વિશ્વમાં અદ્ભુત તત્ત્વ સાધુ તત્ત્વ છે, ચંદ્રસૂરજ તૂટી પડતા નથી, સમુદ્ર માઝા મૂકી દેતો નથી એનું કારણ હોય તો સાધુઓનું તપોબળ છે. જે દિવસે સાધુસંતો નહીં હોય, સામાયિક નહીં હોય તો તે દિવસથી છઠ્ઠો આરો જાણશો. છઠ્ઠા આરાને રોકવાનું બળ સાધનામાં છે.
છોકરાને ઈંજેક્શન આપી પતાવી દેવાના વિચારમાં રાચતા ભાઈ કહે, ભલે સાહેબ! હવે હું જાઉં છું. આપની પાસે બહુ મન હળવું થયું. મહારાજજી કહે છે, ભાઈ આ છોકરો કોઈના ઘરે નહીં ને તમારા ઘરે જ કેમ આવ્યો? પોસ્ટમેન પણ કયારેક ગડબડ કરી નાંખે છે. તેમ માણસની પણ કયારેક ભૂલ થાય છે. પણ આ છોકરો પડોશીને ત્યાં જન્મવાને બદલે તમારે ત્યાં જન્મ લેવાનું કારણ? ભાઈ કહે મારા પાપ બીજું શું? મહારાજે કહ્યું, તમારો છોકરો ઘોર પાપ કરીને જનમ્યો એ વાત બરાબર પણ આવા ભયંકર-રોગી-બેડોળ દીકરાના બાપ બનવાનું પાપ કોનુ? ભાઈએ કહ્યું, મેં આવા કોઈ પાપ પૂર્વ કર્યા હશે. મહારાજ કહે છે ભાઈ આ તો પાર્ટનરશીપનો ધંધો છે. તમારા પાપો પણ એની સાથે જોડાયેલા છે. પૂર્વજન્મમાં તમે પણ પાપ કર્યા હશે તો તમારા ગુનાની શિક્ષા પણ એને શું કામ? પેલાભાઈના મગજમાં આ ગણિત બરાબર બેસી ગયું. પેલા ભાઈ ઘરે ગયા. મહારાજ પણ ૮-૧૦ દિવસ ભવાનીપુરમાં વિહાર કરી પાછા આવ્યા. પેલા ભાઈના ધરે વહોરવા ગયા ત્યારે એમનીય આંખો ભીની બની ગઈ. એના ઘરનું દશ્ય આખું બદલાઈ ગયેલું. છોકરાના વાળ ઓળેલા હતા. કપડા પણ
• ૧૫૦ •