________________
વપરાય. એની નજર લાગી ગઈ છે. આવું જયારે ગુણી બોલે ત્યારે શિષ્યાઓ પોતાના ગુરુણીને કહે આ અમારા નાના ગુરુબેન છે. કેવા ઉત્કૃષ્ટ સંયમી છે. એમના આવ્યા પછી તો અમારું પણ ચારિત્ર વિશેષ નિર્મળ બન્યું છે. ગુરુણી અકળાઈને બોલી ઉઠયા ખબરદાર! મને કોઈએ સલાહ આપી છે તો.
આ બાજુ પેલા વિનયી શિષ્યા હસતે મોઢે બધુ સહન કરે છે. પોતાના જ કર્મોનો દોષ વિચારે છે. કયારેક પોતાના વડિલ ગુરુબેનોના ચરણોમાં માથું નાખીને રડી પડે છે અને રડતા રડતા કહે છે ગુરુજી જે કાર્ય કરે છે તે મારા હિતના માટે કરે છે. તમો તેઓને મારા વિષે કંઈ ન કહેતા. ગુરુણીના દિલને અશાતા ન પહોંચાડતા. ગુરુજીની ગમે તેવી અશાતા એ મારા માટે સ્વીકાર્ય છે. એક વર્ષ વીત્યું. આ શિષ્યા ખૂબ સહન કરે છે. એકવાર ગુણી બિમાર પડયા. સાથે રહેલા શિષ્યાઓ વૈયાવચ્ચ કરી શકે એમ ન હતા. ત્યારે આ શિષ્યા ગુરુણી પાસે જાય છે અને રડતા રડતા કહે છે કે ફક્ત ત્રણ દિવસ મને સેવાનો લાભ આપો. સુખ દુઃખ કાયમ નથી ટકતા. ગુરુજીએ અનુજ્ઞા આપી. ત્રણ દિવસ એવી અંતરના ભારોભાર ભક્તિ કરી કે એ ગુણીજી આજે એ શિષ્યાને પૂછયા વગર પાણી પણ વાપરતા નથી. આ સાધ્વીજીએ કયારેય પોતાના ગુરુણીજી સામે બળવો ન કર્યો. કોઈપણ પ્રકારનું રીએકશન ન આપ્યું. જો તમે આવું હોય તો શું કરો? સાચા શ્રાવક જો તમે હો તો સાધુસંસ્થાની નિંદા ભૂલથી પણ ન કરતા. આવા પ્રસંગો તીવ્રકોટિના જીવનો ચારિત્રા મોહનીય કર્મનો ઉદય હોય ત્યારે બને છે.
સંસારમાં જીવન ઘણું માન મળે છે. માન છોડીને મુનિ બનવાનું છે. જે માન મૂક્યા વગર મુનિ બને છે એ સંયમ પરિણતિનો ખૂની બને છે. સંયમ જીવનમાં ઘણું છોડીને ઘણું મેળવવાનું છે. મેઘકુમાર પહેલા જ દિવસે ત્રાસી ગયા. ગુરૂની આજ્ઞાની મહત્તા કેટલી? ગુરુને પૂછીને પછી જ જાઉં. તેથી જ પતિત પરીણામી હોવા છતાં પણ શ્રેષ્ઠ પરિણામી બની કલ્યાણ સાધી ગયા. જે જીવ ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે એ બીજા કયા કર્મ નથી બાંધતો એ સવાલ છે. કર્મનો બંધ થાય એમાં ભાગ કોણ ભજવે છે. કષાયો સૌથી વધારે કર્મબંધ કરાવે છે. આ કષાયોમાં પણ મોહ પોતાનો ભાગ ભજવે છે.
- નાસ્તિક એવા પ્રદેશી રાજા ધર્મ પામ્યા. પત્નિ સૂર્યકાન્તાને ધર્મ ગમતો નથી. પોતાના પતિ આટલા ધર્મી બની ગયા. ભયંકર ક્રોધ અંતરમાં ચૂંટાય છે. રાજાને ધર્મમાં ઉછાળો આવ્યો છે. મોહની મદિરા બહુ ભયંકર છે.
= • ૧૫૮ • --