________________
આપણા માટે કોઈ રડી શકે પણ આપણી પીડા કોઈ લઈ ના શકે. આ પ્રવચન સાંભળી અંદરનો માહ્યલો જાગી જાય તો કર્મો ભાંગી જાય. આજે એક વાત બરાબર ઘૂંટી લ્યો મારાથી દૂર જાય છે તે મારું નથી, મારું છે તે જતું નથી. એગોડહં નલ્થિ મેં કોઈ.. તેરા હૈ સો તેરે પાસ છે, અવર સભી અનેરા... આજે આ મંત્રો લઈ ઘેર જજો . મોહના મંત્રો જરૂર ફૂટી
જશે.
હું કોઈનો નથી, મારું કોઈ નથી.” આ અવાજ સતત ગૂંજતો રાખજો.
• આરાધનાના પાંચ બાધક તત્ત્વો છે +૧) આળસ, (૨) અનુત્સાહ, (૩) અનુપયોગ,
(૪) અનાદર, (૫) અવિધિ
માણસને “ગતિમાં જેટલો રસ છે એટલો “દિશામાં રસ નથી. પહોંચવાની જેટલી ઉતાવળ છે એટલી એને “બનવાની ઉતાવળ નથી. પુરૂષાર્થ માટે તત્પર છે પણ “સમ્યફ માટે તત્પર નથી. એનું પરિણામ શું આવ્યું? પદાર્થ વૃદ્ધિની પાછળ દોડ્યો પણ પ્રસન્નતાની અનુભૂતિથી વંચિત
રહ્યો...
પ્રતિષ્ઠા સુંદર જગાવી લીધી પણ જીવન જમાવવામાં વામણો પુરવાર થયો. મોટાઈ મળી પણ મહાનતા દૂર થઈ ગઈ.
=
• ૧૩૯ •
=