________________
'કામસી કરતાય માનસજ્ઞા ખરાબ.... : અહંકાર છેક ઉપર પહોચેલાને પણ પાડે છે.
અહંકારના કારણે માણસ કેટલા પાપ કરી સંસાર વધારે છે. અહંકાર અને મમકાર આપણા કાબૂમાં, તો સંસાર પણ આપણા કાબૂમાં. વંદના અને નમ્રતા એ ધર્મનો પાયો છે. હે પ્રભુ! સારા કાર્યો કરવાની શક્તિ આપજે પણ સારા કામો થયા પછી ગર્વ ન આવે એટલું તો જરૂર આપજે. રોગિષ્ટને નભાવવો સહેલો પણ ગર્વિષ્ઠને નભાવવો અઘરો. સાચું સમજ્યા પછી પણ ખોટું છોડી શકતા નથી એનું કારણ મોહ છે.
અપેક્ષાએ ક્રોધી સારો પણ અહંકારી નકામો. જ પેટની ભૂખ પૂરાય પણ પ્રશંસાની ભૂખ કેમ પૂરાય? * મોહ જેવું કોઈ વિષ નથી. જેને અડે તેને નડે (મારે)
મહાન તાર્કિક શિરોમણિ ઉપાધ્યાયજી મહારાજ આત્મા અશુદ્ધમાંથી શુદ્ધ બનતો નથી, અંધારામાંથી પ્રકાશમાં આવતો નથી એનું રહસ્ય શોધતા કહે છે આ જીવ જગતમાં જેટલા પાપો કરે છે તેની પાછળ સમજણનો અભાવ છે. સાચી સમજ પડે તો ખોટા કામો થાય નહીં. સાચું સમજવા છતાં પણ માણસ ખોટું છોડી શકતો નથી એનું કારણ મોહ. આ મોહનું અંધારું ખતરનાક છે. ભલભલા ભણેલાને પણ ભટકતા કરી દીધા છે. અજ્ઞાની પાપો કરે એ તો ઠીક પણ જ્ઞાની પણ પાપ કરે એ મોટી અજ્ઞાનતા છે. તેનું નામ મોહ છે. મોહના અંધારા જીવનમાં વ્યાપી જાય છે ત્યારે જીવ કયા પાપો કરતો નથી તે સવાલ છે. મોહ જેને અડે તેને બધા અડી જાય. મોહના બે શસ્ત્રો છે : અહંકાર અને મમકાર. માણસને કયાંક અભિમાન આવે છે તો કયાંક મમત્વ. કોઈપણ કારણે જાગેલો મોહ માણસને વેરણછેરણ કરી નાંખે છે. આજે જીવનમાં જેટલી દુર્ઘટનાઓ થઈ રહી છે એની પાછળ મોહ છે. સંવત્સરી જેવા દિવસે પણ કટાસણા પાથરવા કલેશ થાય છે એનું કારણ મોહ છે. મારું કટાસણું કેમ ખસેડ્યું? જયાં મારું આવે
= • ૧૨૮ •