________________
સમ્યગદર્શનની ઉપેક્ષા કરે એ ધર્મ પામી શકતો નથી. (૩) યોગયી - તેમાં પ્રથમ સ્થાને રહેલ મનોયોગનો દુરૂપયોગ કરે એ સમાધિ ટકાવી શકતો નથી.
જ્ઞાનસારમાં જ્ઞાની મહાપુરૂષો વિષયમાંથી વૈરાગ્ય તરફ આત્માની ગતિ-પ્રગતિ કરાવી રહ્યા છે.
પિંગલા રાણીએ અમરફળ મહાવતને આપ્યું ત્યારે મહાવત વિચારે છે આ અમરફળ વેશ્યાને આપું તો સારું થશે. મૂર્ખ જેવું આચરણ કરાવે તે વાસના. ખાનદાનને તુચ્છ જેવું આચરણ કરાવે તે વાસના. મહાવરે અમરફળ વેશ્યાને આપ્યું. આ ફળ તું ખાઈ લે, અમર બની જઈશ. આ ફળ તમે જ ખાઈ લો. મને તારા વગર નહીં ચાલે માટે આ ફળ તને આપું છું.
આના વગર મને નહીં ચાલે તે રાગ, બધા વગર ચાલે - બધા વગર ફાવે તે વૈરાગ્ય.
વેશ્યા ફળ ખાવાનો વિચાર કરતા પોતાના મનને કહે છે - હું અમર બનીશ એ વાત સાચી પણ હું અમર બનીને શું કરીશ? ઉકરડે બેઠેલી એક વેશ્યાનો વિચાર કેવો? વ્યક્તિ વિચારોથી આગળ વધે છે. અમર બની જિદગીભર પાપો જ કરવાના. પાપથી વધુ ભારે બનીશ. એના કરતા કોઈક ધર્માત્માને આ ફળ આપું. આખા નગરનો રાજા જ સૌથી વધુ ધર્માત્મા છે. ફળ લઈને રાજાને કહે છે આપને આ ફળ ભેટ દેવા આવી છું.
માણસ વાણીથી મપાય. સોનું કસોટીથી પરખાય. ફળ જોઈ રાજા વિચારે છે કે મારાથી શરૂ થયેલું રાઉન્ડ ફરી પાછું મારી પાસે આવ્યું.
વિષયની વાસના છૂટે તો આત્મઘર તરફ પગલા પડે.
અનંત સંસાર પરિભ્રમણમાં આપણે એક જ કામ કર્યું છે.
એ છે દોષો સેવવાનું અને દોષો જોવાનું.
:
- ૮૧ •