________________
અભિપ્રાય નહિ અનુભૂતિ.... કિ અતીતની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પના એ તો મનનો ખોરાક છે. હરિ કરોડો-લાખોની સંપત્તિ લબાડ કે ચોર કે ઈન્કમટેક્ષવાળા લઈ જાય
એના કરતા ધર્મના ક્ષેત્રને આપો ને? વરિ સુખથી દૂર કરે એવા પરિબળો હજી સ્વીકારી લેજો પણ સગુણોથી
દૂર કરે એવા પરિબળો હરગીજ ન સ્વીકારજો. કિ સમસ્યાને ખતમ કરવાનું કામ પુણ્ય કરે છે અને સમસ્યાને પેદા જ
ન થવા દેવાની ભૂમિકા ધર્મ કરે છે. અભિમાનનું સુખ, અભિપ્રાયનું સુખ અને કલ્પનાનું સુખ મુખથી બોલી શકાય છે જયારે અનુભૂતિરૂપ આત્મિક સુખ અનુભવી શકાય છે.
મહાન જ્ઞાની ઉપાધ્યાજી મહારાજ સાચી પ્રસન્નતાની વાત જણાવી રહ્યા છે. અસ્થિરતા ચિત્તની પ્રસન્નતાને ખંડિત કરી નાંખે છે. અતીતની
મૃતિઓના ચકરાવે ચડેલ આત્મા વર્તમાન સમયની અનેક તકો ખોઈ બેસે છે. ભવિષ્યના કાલ્પનિક રંગોમાં અટવાઈ ગયેલ મન અનુભૂતિના સ્તર સુધી પહોંચી શકતું નથી. મનને મજામાં જ રસ છે. ભૂત ભવિષ્યના વળગણમાં અટવાઈ જઈ અનેક તકો વેડફી નાંખે છે. તકાત સંસાર સર્જનમાં વપરાઈ જાય છે.
વજસ્વામીએ શરદીને કારણે કાન પર સૂંઠનો ગાંગડો રાખ્યો હતો પછી કાઢતા ભૂલાઈ ગયો ને છેક સાંજે પ્રતિક્રમણ વખતે યાદ આવ્યો એટલે એમની પ્રતિક્રમણમાંની સ્થિરતા ગઈ અને વિચાર્યું કે હવે મૃત્યુનો સમય નજીક આવ્યો છે. માટે જ આમ થયું. અનાગતનો વિચાર ઓછો કરો તો સ્થિરતામાં વધારો થાય.
કમસેકમ આટલો તો નિર્ણય કરો કે દેરાસર. ઉપાશ્રયમાં તો બહારનું વિચારીશ નહિ. બાહ્ય જગતની કોઈ વાત કરશે તો સાંભળીશ નહિ. સાંભળવાનું ચાલુ રહેશે તો પછી એ વિચારો ઉપર કંટ્રોલ રહેશે નહિ. માટે બહિર્જગતની વાત ન સાંભળવાની ખુમારી દાખવો. મુશ્કેલમાં મુશ્કેલ અંતર્યાત્રા છે. બહિયાત્રામાં પુણ્ય કામ કરે છે. જયારે અંતયાત્રામાં ધર્મ કામ
, ૧૧૩ ,