________________
| કારણ શોધી નિરાકરણ લાવો.....' - નાગકેતુની પુષ્પપૂજા અને અઈમુત્તાની ઈરીયાવહીની કિયા ફળી એનું
કારણ એકાગ્રતા છે.
કારણને જાણો નિરાકરણ સ્વયં મળી જશે. - આંખના અંધાપા કરતા મોહનો અંધાપો ખરાબ.
આઈ અને માઈ બન્ને મોતના મંત્રો છે. ક કંચન-કામિની-કુટુંબ-કિર્તી અને કાયાના આ પાંચ કક્કાએ એવા ધક્કા
માર્યા છે કે આપણા છક્કા છૂટી ગયા છે.
લઘુગ્રંથની રચના કરતા ઉપાધ્યાજી મહારાજ પૂર્ણ બનવા સ્થિર બનવાની પ્રેરણા આપી રહ્યા છે. સ્થિરતા તૂટે છે કેમ? ધર્મતત્વ આપણને આશા આપે છે. વૃત્તિઓ સ્થિર નથી એ માની પ્રવૃત્તિથી નિવૃત્ત નથી બનવાનું. આજે નહીં તો કાલે સ્થિરતા આવશે. નાગકેતુની પૂજા અને અઈમુત્તાની ઈરિયાવહી કેવળજ્ઞાન આપનારી બની ગઈ કારણ શું? મન-વચન-કાયાની એકાગ્રતા. માત્ર રોગને જાણવાથી રોગ દૂર ન થાય પણ રોગનું કારણ જાણવાથી રોગ દૂર થશે. આર્યુવેદમાં જણાવાયું છે કે રોગને દબાવો નહિ પણ રોગનું કારણ શોધી દૂર કરો. અસ્થિરતા નુકશાન કરનારી છે. અસ્થિરતાના કારણો સત્સંગથી જ સમજાશે. કારણને દૂર કરીએ તો નિરાકરણ બની જશું. આયંબિલ કે એકાસણું કરવાનો વિચાર કરીએ. કરવાનો દિવસ આવે ને સવારના મન થઈ જાય અસ્થિર. આયંબિલ કરવાનું આપણું કામ નહિ. કાયિક અસ્થિરતા કરતા વૈચારિક અસ્થિરતા માણસને બહુ મોટા લાભથી દૂર રાખે છે. આયંબિલ કરશું ને પાછું માથું દૂખશે તો? નહીં ફાવે તો? આવા વિચારોથી આપણું આયંબિલ થતું નથી. આ પણ અસ્થિરતા. આયંબિલ નથી થતું કારણ સ્વાદનો પ્રેમ, જીભનો પ્રેમ.
બે સંન્યાસીઓ કબીરવડની નીચે સાધના કરતા હતા. બે માંથી એક જુવાન હતા અને એક વૃદ્ધ હતા. એક માણસ ત્યાંથી પસાર થયો. સાધના કરતા સંન્યાસીઓને જોઈને એણે પહેલા જુવાન સંન્યાસીને પૂછ્યું કે હું ભગવાન પાસે જાઉં છું, કાંઈ કહેવું છે? એટલે જુવાન સાધુ કહે “ના ભાઈ, એમને કેટલી બધી ઉપાધિઓ હોય, આખા જગતના પિતા એમને વળી મારી વાત સાંભળવાની ફુરસદ કયાં? મારે કાંઈ નથી પૂછવું ફક્ત એટલું જણાવજે કે ભગવાન છે તો
= • ૧૧૦ •