________________
છે, તેમ સ્થિર પણ આત્મામાં જો તેવા પ્રકારના પ્રમાદાદિના યોગે અસ્થિરતા ઉત્પન્ન થાય તો જેના યોગે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવી ઉત્તમ પ્રકારની સમાધિનો નાશ થાય. પરિણામે કેવળજ્ઞાન અટકી જાય.
હવે પાતંજલ યોગદર્શનની અપેક્ષાએ ધર્મમેઘ સમાધિનો અર્થ જોઈએ. પાતંજલ યોગદર્શનમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત એમ બે પ્રકારની સમાધિ કહી છે. ચિત્તની કિલષ્ટવૃત્તિઓનો નિરોધ એ સંપ્રજ્ઞાત સમાધિ અને કિલષ્ટઅક્લિષ્ટ બંને પ્રકારની ચિત્તવૃત્તિઓનો નિરોધ તે અસંપ્રજ્ઞાત સમાધિ છે. ધર્મમેઘ સમાધિ સંપ્રજ્ઞાત સમાધિની પરાકાષ્ઠા રૂપ છે. જૈનદર્શનની દષ્ટિએ ક્ષપકશ્રેણિકનું ધ્યાન સંપ્રજ્ઞાત સમાધિ છે. કારણ કે તેમાં કિલષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ છે. કેવલજ્ઞાન અવસ્થા અસંપ્રજ્ઞાત સમાધિ છે કારણ કે તેમાં સર્વ પ્રકારની ચિત્તવૃત્તિઓનો નિરોધ છે. જૈન દર્શનની દષ્ટિએ અસંપ્રજ્ઞાત સમાધિના સયોગ કેવલજ્ઞાન અને અયોગ કેવલજ્ઞાન એમ બે ભેદ છે. પાતંજલ યોગદર્શનમાં જેને ધર્મમેઘ કહેવામાં આવે છે તે જૈનદર્શનની દષ્ટિએ અયોગ અવસ્થા રૂપ કે કેવલજ્ઞાનરૂપ અસંપ્રજ્ઞાત સમાધિ છે. તેની ઘટાને વિખેરવી એટલે ક્ષપકશ્રેણિને અટકાવીને કેવલજ્ઞાનને રોકવું. અસ્થિરતાના યોગે ક્ષપક શ્રેણિનો પ્રારંભ ન થઈ શકે. ક્ષપક ક્ષેણિ અટકવાથી કેવળજ્ઞાન અટકી જાય-ન થાય. અહીં બાલાવબોધ (ટબો) આ પ્રમાણે છે. “પાતંજલ શાસ્ત્રમાં ધર્મમેઘ નામે અસંપ્રજ્ઞાત સમાધિ કહ્યો છે. તેની ઘટાને વિખેરશે એટલે આવતા કેવળજ્ઞાનને રોકશે.”
चारित्रं स्थिरतारुप मतः सिद्धेष्वपीष्यते ।
यतन्तां यतयोऽवश्य-मस्या एव प्रसिद्धये ||८|| (૮) વાર્નિં-ચારિત્ર સ્થિરતા૫-(યોગની) સ્થિરતા રૂપ (છે) મત:-આથી સિદ્ધ-સિદ્ધોમાં ઉપ-પણ પુષ્યન્ત-ઈચ્છાય છે. (માટે) યતય:- તિઓ મસ્યા:આ સ્થિરતાની પર્વ-જ પ્રસિદ્ધયે- પરિપૂર્ણ સિદ્ધિ માટે મવશ્યમ્-અવશ્ય વેતન્તાં-યત્ન કરે. (2) ચારિત્ર યોગની સ્થિરતારૂપ છે. આથી સિદ્ધોમાં પણ ચારિત્ર કહ્યું છે. માટે યતિઓ સ્થિરતાની જ પરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરે.
૧ ૨.
પાયો.પા. ૧ સૂ.૨ ભાવાગણેશવૃત્તિ તથા પા.યો.પા. ૧ સૂ. ૧૭-૧૮ યો.વિ.ગા. ૨૦ની ટીકા યો.વિ.ગા. ૪૧૮, ૪૨૦, ૪૨૧.
• ૮૫ =