________________
ખૂણો છે તે છે ફક્ત તમારું અંતઃકરણ. તારક એવી ધર્મક્રિયાની જબ્બર તાકાત છે. ક્રિયા ભલે નાની પણ એ બહુમાન અને અહોભાવથી કરાય તો ન ધારેલા પરિણામ જોવા મળે. અમને ખબર છે કે અમે લીધેલા સંયમથી હમણાં તો મોક્ષ નથી મળવાનો પણ ધૈર્યતા ટકાવી રાખી છે, આ ભવે નહીં તો આવતા કોઈ ભવમાં પરિણામ તો આપશે જ. સાધના સુખનું કારણ બને કે ન બને પણ પ્રસન્નતાનું કારણ બને જ છે. ધર્મસાધના કર્યે જ જાઓ. પરિણામની ચિંતા ન કરો.
ન
એક બેનને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું. માંગલિક સંભળાવવા એક ભાઈ મહારાજજીને લઈ ગયા. રસ્તામાં ભાઈ મહારાજને કહે છે કે સાહેબ! એમને વેદના તો એટલી બધી છે કે વાત ન પૂછો. પણ સમાધિ માર્વેલસ છે. હોસ્પિટલમાં વ્હોંચ્યા. સાધુભગવંતને જોઈ બહેન ઉભા થઈ ગયા. પણ એમનો એક હાય કાનની નીચે હતો. ગળાનું કેન્સર હતું. માંગલિક પૂજ્યશ્રીએ સંભળાવ્યું. એમના પલંગ સામે પાર્શ્વનાથની છબી હતી. મહારાજે પૂછ્યું, બેન! વેદના થાય છે. સાહેબ! વેદના આપવાનું કામ તો કર્મનું છે. મારે તો શંખેશ્વર સાહિબો સાચો, બીજાનો આસરો કાચો. બસ, હું ને મારા પારસનાથ. મહારાજે બાજુમાં ઉભેલા ભાઈને પૂછ્યું આ હાથ કેમ આમ રાખે છે? સાહેબ એ જગ્યાએથી લાલ ને સફેદ કીડા પડે છે. મહારાજે કહ્યું, મારે જોવા છે. રૂમાલ હટાવ્યો તો સાચે જ જીવડા હતા. મહારાજે બેનને પૂછ્યું, કાંઈ કહેવું છે? સાહેબ! મરવાનું તો મારે છે જ મોત નજીક છે પણ એક દિવસ પણ સંયમ જીવન...સાધ્વી વેષ પણ મળ્યો હોત તો આનંદ થાત...મહારાજ ઉપાશ્રયે પધારી ગયા. સાંજે પ્રતિક્રમણ બાદ પેલા ભાઈને બહેનની શાતા પૂછી ત્યારે પેલા ભાઈ કહે, સાહેબ બેન તો ગયા. આપના ગયા બાદ પીડા વધારે થઈ. એમની સમાધિ જબરી. ટિફિનના ડબ્બાઓ ધરીને ઉભા હતા. ખૂબ જંતુ નીકળે પણ પોતે ચારેય આહારને વોસિરાવી દીધેલ... ફક્ત એક જ ગીત હોઠે રહેલ...શંખેશ્વર સાહેબ સાચો.
પદાર્થ પ્રત્યે હળવાફૂલ બનવાની આ ટ્રીક છે. પત્ની સાથે વાંકુ પડ્યું. ઋણાનુબંધ પૂરો થયો. દિકરો માનતો નથી. ચિંતા ઓછી. રોગ પેદા થયોશરીરની અશુદ્ધિ બહાર નીકળી...આમ વિચારો તો હળવાફૂલ થઈ જશે સંબંધોને ઍસોર્ટ કરી દો. ભર્તૃહરી સંબંધમાં અટવાયા છે.
ઝરૂખા નીચે ઊભા રહીને હાથીએ સૂઢ ઊંચી કરી. રાણી એના આધારે
૧૦૦ ·