________________
સાધતા “EASY નથી, સિદ્ધિ “QUICK નથી, હજારો માઈલની બહિર્યાત્રા સુલભ છે પણ એક ઈંચ જેટલી અંતર્યાત્રા બહુ મુશ્કેલ છે. બહિર્યાત્રામાં પુણ્ય કામ કરે છે, અંતર્યાત્રામાં ધર્મ કામ કરે છે. અતીત અને અનાગતની સ્મૃતિઓમાંથી બહાર નીકળશો ત્યારે જ
વર્તમાનની અનુભૂતિ થશે. છે. જેની નજર સામે માત્ર આ લોકના જ સુખો છે તે સુખાર્થી છે, જેની
નજર સામે પરલોકના સુખો છે તે પુણ્યાર્થી અને જેની નજર સામે સુખ નહિ પણ સદ્ગુણો છે તે આત્માર્થી છે. સાધના EASY નથી અને સિદ્ધિ QUICK નથી આટલી વાત ખ્યાલમાં
રાખો. છે સમસ્યાને ખતમ કરવાનું કામ પુણ્ય કરે છે પણ સમસ્યાને પેદા જ
ન કરવાનું કામ ધર્મ કરે છે. અસ્થિરતાના પ્રતિબંધક તત્ત્વો ત્રણ છે : પ્રભુત્વ, સ્વામિત્વ અને મમત્વ.
મહાન જ્ઞાની ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાગરમાં ‘સ્થિરતા' અષ્ટકમાં મહત્ત્વની પ્રેરણા આપી પ્રમાદથી બચાવી જીવન સાધનાનો પ્રાસાદ બનાવી રહ્યા છે. ભવોથી આ બહિર્યાત્રા ચાલુ છે. એક ડગલું પણ અંતર્યાત્રા થાય એ ભાવનાથી તત્ત્વ સમજાવી રહ્યા છે. અતીત અને અનાગતના વળગણમાંથી બહાર નીકળતા જ વર્તમાનની અનુભૂતિ થવા માંડે છે.
સૂરતમાં એક ઝવેરી દરરોજ પૂજા કરવા જાય. ૯ થી ૧૨ નો સમય એમનો નક્કી. પૂજા બાદ પેઢીએ જાય. એક દિવસ મુનિમજીએ કહ્યું, શેઠજી તમે ૯ થી ૧૨ પૂજા કરવા જાઓ છો ત્યારે બે-ત્રણ વાર મોટા ઘરાકો આવ્યા. બે ત્રણ લાખનો સોદો થઈ જાત. આપ પૂજા કરીને વહેલા આવો તો સારું. શેઠ કહે છે એમ વાત છે કાંઈ વાંધો નહિ. આજથી તમારે પણ ૧૨ વાગ્યા પછી આવીને જ દુકાન ખોલવાની. શેઠનો જવાબ સાંભળી મુનિમ તો કંઈ ન બોલ્યા પણ આપણે હોઈએ તો? આવું કંઈ કામ હોય
= • ૧૦૯ •