________________
સ્ત્રી જેમ કલ્યાણ કરતી નથી તેમ સ્થિરતા વિનાની એકપણ ક્રિયા કલ્યાણ નહીં કરે. અનેક વિષયોમાંથી એક વિષયમાં મનને જોડી પરમબ્રહ્મમાં મન સ્થિર બને તે યોગનો મૂળભૂત ઉદ્દેશ છે. મનને સ્થિર કરવું બહુ કઠિન છે. એકવાર બહાર ભટકવાનું બંધ કરી ભીતરમાં જોવા તૈયાર રહો. નિરાકાર બનવા એકાકાર બનવું જરૂરી છે.
એક ગામડીયો થિયેટરમાં પિશ્ચર જોવા ગયેલો. અર્ધો કલાક વહેલો જ ચાલ્યો ગયો. જેને જેમાં રસ હોય ત્યાં વહેલો જવાનો. થિયેટરમાં વહેલો જવાથી કર્મબંધ સિવાય કશું ન થાય. પ્રવચન મંડપમાં અડધો કલાક વહેલા આવવાથી આરાધનાની અનુમોદનાથી કર્મો તૂટશે. પિક્યર શરૂ થવાનો સમય થયો, બારી-દરવાજા બંધ થયા, લાઈટો બંધ થઈ પછી પિક્યર શરૂ થયું. અજવાળામાં પિક્સર શરૂ ન થાય.
અજવાળામાં વસે તે જ્ઞાની, અંધારામાં વસે તે અજ્ઞાની.
અંધારુ થતાં જ ગામડીયો ભટકાયો. સીધો દરવાજા પાસે ચોકીદારની બોચી પકડી. ગામડીયો બોચી પકડે શહેરીજન કોલર પકડે. ગામડીયો કહે પૈસા ખર્ચ્યા છે. અંધારુ કેમ? બધાએ સમજાવ્યું ત્યારે માન્યો. બહારના બારી બારણા બંધ થાય પછી જ અંદરનું પિક્સર દેખાય.
અંદરનું દર્શન થતાં જ મુખમાંથી શબ્દો સરી પડશે... ચિદાનંદકી મોજ મચી છે... સમતારસકે પાનમેં...
22/
બગડેલા છીએ...' એ આપણી નજર છે જ્યારે સુધરી શકીએ એમ છીએ...” એ અનંત જ્ઞાનીઓની દષ્ટિ છે... બોલો કઈ સંભાવના? કઈ વાસ્તવિક્તા?