________________
પાગલ બનેલી મેડમ ક્યૂરી માલ મિલ્કતથી દૂર થઈ ગયેલી.
એકાગ્રતા સપાટી છે, મગ્નતા એ ઊંડાણ છે. આમ તો બગલો પણ એકાગ્ર થાય છે. સ્કુલમાં વાર્તા આવતી.
એક પાંવ સે ધ્યાન લગાકે, બગલા હમકો દેતા જ્ઞાન, મેરી તરહ છોટે બચ્ચો, પઢનેમેં રખો તુમ ધ્યાન મહેચ્છા, મસ્તી, એકાગ્રતા, મગ્નતા બધું જુદું છે.
એકાગ્રતા માટે આંખનું કામ છે, મસ્તી માટે મનનું કામ છે અને મગ્નતા માટે આત્માનું કામ છે.
- C 22
બીજાના દુઃખે દુઃખી થાય એનું નામ દયા અને બીજાના સુખે સુખી
થાય એનું નામ છે પ્રેમ. દયા વિના જો ધર્મમાં પ્રવેશ નથી તો પ્રેમ વિના ધર્મમાં સ્થિરતા
નથી.
કદાચ શક્તિ – સામગ્રી સંયોગનો અભાવ હોઈ શકે પણ હૃદય તો
સંવેદનશીલ બનાવતા જ રહેજો . દયા વિના જીવનની ઈમારત ધરાશાયી બની જશે.
આત્મનિરીક્ષણ કરજો . આપણી આંતરિક સ્થિતિ કેવી છે? લાગણીતંત્ર મૂચ્છિત તો નથી થયું ને?