________________
કાચતા ચશ્મા તહિ, હવે પ્રેમતા ચશ્મા...
જેની આંખમાંથી કરૂણા વરસતી હોય, જેની જીભ ઉપર અમૃતની મીઠાશ હોય તેવા આત્મા જ્ઞાનધ્યાનમાં મસ્ત યોગી છે.
જે નયણે કરૂણા તરછોડી, તેની કિંમત ફૂટી કોડી.
દયા ધર્મ એ તો નદી છે, બીજા ધર્મો તો એના કિનારે ઉગેલા અંકુરો છે. આંખની મીઠાશ કરૂણા અને વાત્સલ્ય
વચનની મીઠાશ બધાને ગમે તેવું વચન
વર્તનની મીઠાશ કોઈને દુઃખ ન થાય તેવો આચાર.
કલેશ અને કંકાશ એ જીવનની મજા નથી એ તો ઊભી કરેલી સજા છે. કાચના ચશ્મા તો ઘણા પહેર્યા, હવે પ્રેમના ચશ્મા આંખો પર ચડાવી તો જુઓ.
જ્યાં પ્રેમ ઓછો થાય છે ત્યાં વહેમ પ્રગટ થાય છે.
વર્તુળ વગરની વિરાટ ભાવના એનું નામ મૈત્રીભાવના.
વયણ અને નયન માણસની પાત્રતા નક્કી કરી આપે છે. બીજા તમારાથી ખેંચાઈને આવે તો સમજજો કે તમારી આંખમાં પ્રેમનો સાગર છલકે છે.
જ્ઞાનસારના માધ્યમથી જીવનમાં ગુણવૈભવ છલકાવી દેવાની મસ્ત પ્રેરણા રેલાવી રહેલા ઉપાધ્યાયજી મહારાજ મગ્નતાના અષ્ટકની પૂર્ણાહૂતિ કરતા કહી રહ્યા છે કે જેની આંખમાંથી કરૂણા વરસતી હોય, જેની જીભ ઉપર અમૃતની મીઠાશ હોય તે મહાત્મા જ્ઞાનધ્યાનમાં મગ્ન યોગી છે. એવા મહાત્માને મારા અંતરથી નમસ્કાર હો. જ્ઞાનમગ્ન યોગીને ઓળખવાનું મેપ લક્ષણ ચિત્રણ આ છે. ધ્યાનયોગીની આ નિશાની છે. આંખમાં કરૂણા અને વચનમાં મીઠાશ... પાલનપુરના કવિએ સરસ લખ્યું છે કે જે નયણે કરૂણા તરછોડી એની કિંમત ફૂટી કોડી જ સમજવી.
સંત તુલસીદાસે પણ કહ્યું છે દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમે પ્રાણ. દયા ધર્મ એ તો નદી છે. બીજા ધર્મો તો એના કિનારે ઉગેલા અંકુરો છે. દયા પાણી
• ૭૮ .