________________
દર્શન માટે એક કલાક કાઢો. ૩૪ અતિશયો, ૩૫ વાણીના ગુણો, સમવસરણ આદિનું ધ્યાન કરો એનાથી મગ્નતા આવશે. * અજ્ઞાની શું કરે છે તે મહત્ત્વનું નથી પણ જ્ઞાની શું પ્રતિભાવ આપે
છે, કેવી રીતે આપે છે એ મહત્ત્વનું છે. * ચંડકૌશિકે ડંખ માર્યો એ મહત્ત્વનું નથી પણ ભગવાને એને તાર્યો
બચાવ્યો. એ પ્રતિભાવ યાદ રાખવાનો છે. તમારા પ્રસંગે ૯૮ જણ આવ્યા, ર જણ ન આવ્યા તો તમારું રીએકશન શું? કોને યાદ રાખો? ૯૮ આવ્યા એને કે બે જણા ન આવ્યા એને? પ્રતિભાવ કેવો આપો? મગ્નતા લાવવા ભાવ અને પ્રતિભાવ ઉપર લક્ષ રાખો....
રાવણને સીતાના માલિક બનવું હતું અને એમાંથી સર્જાયું રામાયણ.. દુર્યોધનને હસ્તિનાપુરના માલિક બનવું હતું અને તેમાંથી સર્જાયું મહાભારત.. રાગ અને આસક્તિ લોભને ખેંચી આવે છે. સાવધાન!
=
•
૬
•
=