________________
'વિકથા નહીં હવે પ્રભુ કથા.... જેનું ભોજન નીરસ, તેનું ભજન સરસ.
જેનું ભોજન સરસ, તેનું ભજન નીરસ. છે. પ્રભુ સિવાયની કથા જીવનમાં વ્યથા વધારશે.
વાસનાને જ્યાં વિરામ નથી, ત્યાં માણસને રસ ને ત્યાં થાય તે વશ... અંતે બંને પરવશ. યુગલ પ્રેમ તોડો, પ્રભુ સાથે નાતો જોડો. સંસાર સાથે નાતો છોડો ને મોહને મોડો. ભગત - ભગાડે, ગબડાવે ને તગડાવે. જીવનમાં સાધના વિના મહાન બનાતું નથી. જ્યાં સમર્પણ ત્યાં સવાલ બંધ.
જીવન જીવવાની જડીબુટ્ટી ભંડારસમા જ્ઞાનસાર ગ્રંથમાં પરમાત્મસ્વરૂપ મગ્નતાને પ્રાપ્ત કરવાનો રાહ બતાવાઈ રહ્યો છે. જે પ્રભુના સ્વરૂપમાં મસ્ત બની જાય છે તેને પૌદ્ગલિક કથાઓ નીરસ લાગે છે. પ્રભુની કથા મીઠી લાગે છે. પરમતત્ત્વ જોડે અનુસંધાન થઈ જાય તો પદાર્થ સાથેનું સંધાન અટકે. ધન-ધાન્ય-કંચન-કામિનીને તે ઈચ્છતો નથી. પ્રભુનો પ્રેમ આવે તો પુદ્ગલ પ્રેમ જાય. મોટાને પકડો તો નાના અંદર આવી જાય. પુદ્ગલ પ્રેમને આગળ જવા દેશો તો જ પ્રભુપ્રેમ પ્રગટશે. ભજનમાં રસ હોય એને ભોજન નીરસ લાગે છે. જેનું ભોજન સરસ હોય એને ભજન નીરસ લાગે છે.
દીકરા ઉપર માને સ્વાભાવિક પ્રેમ હોય. દીકરો તોફાન કરતા ઉપરથી નીચે પડી ગયો. માથું ફાટ્યું, લોહી નીકળ્યું. ડોક્ટર પાસે લઈ જાય, પાટો બંધાવે. દવા આપી. ડોક્ટર કહે કે ખટાશ બધી બંધ ને એ વખતે કેરીની સીઝન હોય. ઘરમાં આફૂસના ટોપલા હોય. ત્યારે એની મા કેરીને હાથ સુદ્ધાં લગાડે નહીં. શા માટે? દીકરો ન ખાય તે વસ્તુ માતા માટે નીરસ બની જાય. દીકરા ઉપરનો પ્રેમ પદાર્થ ઉપરની પ્રીતિ ઘટાડે છે. ખાવામાં ખાટું, મીઠું, કડવું જોઈએ અને એ ન મળે તો લાલ-લીલા-પીળા થઈ જઈએ. પ્રભુની કથા ગમી જાય એને પુદૂગુલ કથા નીરસ લાગે એક ભાઈ આવ્યા. મહારાજ જઈએ છીએ. ક્યાં? અમેરિકા. છૂટ્યા
• ૭૦ •