________________
સાવધગીરી રાખવાની છે આ જિંદગીમાં :
આ જિદગીને શણગારવાની માણસ લાખ મહેનત કરે છે છતાં એમાં બહુ સફળતા નથી મળતી કે નથી પ્રસન્નતાની અનુભૂતિ થતી. છતાં માણસ પોતાની આશાઓ છોડવા તૈયાર નથી. શક્તિના કાળમાં શક્તિ વધારવા, સંપત્તિ વધારવા અને એ દ્વારા પોતાની જાતને સુરક્ષિત કરી દેવા માટે સતત દોડતો રહે છે. પુણ્યયોગે કદાચ સફળતા મળે છે પણ જયાં સમય વીતે છે ત્યાં શરીર ક્ષીણ થતું ચાલ છે, ઈન્દ્રિયો શિથિલ બનતી જાય છે, વૃદ્ધાવસ્થા બારણે ટકોરા લગાવવા માંડે છે....
પાણીની માટલી. દવાની બાટલી... લાકડાની ખાટલી.
આ ત્રણના સહારે જીવન પસાર કરવાના દિવસો આવે છે. જિંદગીભર એકઠી કરેલી સામગ્રીઓ, શક્તિઓ, ખ્યાતિઓ બધું મૂલ્યહીન હતા એવો ખ્યાલ આવે છે. પણ ત્યારે જીવનને ગૌરવવંતુ બનાવવાની કોઈ તક હાથમાં નથી હોતી.
અપૂર્ણ દશામાંથી પૂર્ણ દશામાં આવવા જબ્બર પુરૂષાર્થ કરવો પડશે. * સ્વાધ્યાય દ્વારા મનને કેળવી લો..
તપશ્ચર્યા દ્વારા કર્મોને બાળી દો... * વૈયાવચ્ચ દ્વારા સુખશીલતા પર ઘા કરો..
સમર્પણભાવ દ્વારા સ્વચ્છેદમતિની વૃત્તિ પર નિયંત્રણ કરો... વિષયો અને કષાયોને કાબૂમાં રાખવા સતત પ્રયત્નશીલ બનવાનું છે.
જ્ઞાનસાર માંગલ્યતાનું પરોઢ જગાડે છે. જીવન સંસ્કરણ બનાવવાની પ્રેરણા આપે છે. ભંગાર બની ગયેલા વાસણો પણ ચકચકિત થઈ શકે છે, સડી ગયેલા લાકડા પણ સંસ્કારિત બની આકર્ષક બનાવી શકાય છે. ફાટી ગયેલા કપડામાંથી કાંઈક નવીનતમ બનાવી શકાય છે, તો આ જીવનનું સંસ્કરણ કરવામાં આવે તો શું ન થઈ શકે?
પૂર્ણદષ્ટિ ન ખીલે ત્યાં સુધી ગુણદૃષ્ટિનું વિસ્તરણ કરી દો. દુઃખી પર દયા, ગુણી પર અષ તથા સર્વત્ર ઔચિત્યનું પાલન કરી દો...
ચરમાવર્તકાળમાં પ્રવેશ થઈ જાય પછી સંસાર પરિભ્રમણ સીમિત થઈ જાય. * અર્ણિકાપુત્ર આચાર્ય નાવડીમાં બેસી નદી પાર કરી રહ્યા છે. દેવીએ ભાલા ઉપર લટકાવ્યા. સાધુને જોઈને પણ કોઈને દ્વેષ આવી જાય.