________________
'વાસના તોફાત સર્જે, ઉપાસના સમાધાન
લેબોરેટરીમાં પ્રયોગ કરી રહેલા ન્યુટનને એનો મિત્ર મળવા ગયો. ન્યુટન પ્રયોગ કરવામાં મસ્ત છે. જમવાની થાળી ટેબલ પર તૈયાર છે. આવનાર મિત્રો પીરસાયેલ થાળીથી પોતાનું પેટ ભરી લીધું અને દરવાજાની પાછળ ઊભો રહ્યો. પ્રયોગ પૂર્ણ થયા પછી ન્યુટન જમવા માટે ટેબલ પર બેઠો. થાળી ખાલી જોઈ પોતે બોલે છે – મેં તો જમી લીધું છે. ફરી પ્રયોગમાં મસ્ત બની જાય છે. ન્યુટન ઘેર આવે છે ત્યારે એનો મિત્ર એને પૂછે છે કે ન્યુટન તું આજે જમ્યો હતો? ન્યુટને હા પાડી. ભાભી! કેટલી થાળી મૂકેલી? એક જ. એ તો હું જમી આવ્યો હતો.
આપણે અહીં એ વાત કરવી છે કે એકાગ્રતા અને મગ્નતા બંને જુદા છે. ન્યુટનને એકાગ્રતાના પક્ષમાં લઈ શકાય. આ.શ્રી કલાપૂર્ણસૂરિજી પરમાત્માની સ્તવનામાં ખોવાઈ જાય એ મગ્નતાની ભૂમિકા કહેવાય મોહાદિભાવો નબળા પડે ને મગ્ન થવાય તે મગ્નતા.
એક પતિ-પત્ની અચાનક રાતના ફરવા જવાનું નક્કી કરે છે. પતિ એની પત્નીને કહે છે કે તું જલ્દી તૈયાર થઈને નીચે આવ, ફરવાની જલ્દીમાં પત્ની તૈયાર થઈને નીચે આવી. પાવડર-લીપસ્ટીક બધું જ લગાડ્યું. તૈયાર થવામાં મસ્ત બનેલી પત્નીને આઈનામાં જોવાની પણ ફુરસદ ન મળી. બહેનોને આદત હોય છે. સાથે રહેલાને એ પૂછે કે “હું કેવી લાગું છું?” પતિએ પત્નીનું મોટું જોઈને કહ્યું કે “પોસ્ટના ડબ્બા જેવી.' સાંભળીને પત્ની ગુસ્સે ભરાઈ. હકીકતમાં શું થયું કે ઉતાવળમાં પાવડરને બદલે કંકુ મોઢા પર ચોપડીને હાલી આવી હતી. ફરવા જવાની મગ્નતામાં તૈયાર થવામાં કેવા ગોટાળા વાળી નાખ્યાં. * વિષયોથી નિવૃત્ત બનાવે તે જ મગ્નતા સાચી.
પાત્ર અને પદાર્થની મન્નતા સંસાર વધારે છે. સ્વરૂપની મગ્નતા કેળવી લો. વિષયોની આસક્તિ તોડશો તો જ સ્વરૂપની પ્રતીતિ થશે.
એકને તોડો, બીજાથી જોડો, નહીતર ફરી ફરી દોડો. - અહીં જ્ઞાનસારમાં મગ્નતા'ની બીજા શ્લોકમાં યોગના આઠ અંગોની વાતો મૂકી છે. ધ્યાન-ધારણા-સમાધિ શબ્દો ભારે છે છતાં જીવનમાં સહજ છે. પ્રત્યાહાર એ જબરદસ્ત અંગ છે. પછી સમાધિની વાત કહી છે. એકાગ્ર બની