________________
તુકારામ રોજ પોતાની ભક્તિમાં પાંડુરંગને કહેતા તારી કૃપા બહુ સારી છે. પત્ની આવી કજીયાળી મળી તેથી જ મારું મન તારી જોડે જલ્દી લાગે છે. દુઃખ તો પરમાત્માને યાદ કરાવનાર એલાર્મ છે. કવિએ કહ્યું છે -
સુખમાં સાંભરે સોની, દુ:ખમાં સાંભરે રામ! સુખકે માથે શિલા પડો, હરિ હૃદયસે જાય,
બલિહારી ઉસ દુઃખકી, પલપલ હરિ સ્મરાય. જેણે મગ્નતા કેળવી છે તેને સુખ-દુઃખ કાંઈ કરી શકતા નથી. જગતની અંદર રહેલો ગમો-અણગમો એની પાસેથી વિદાય સમારંભ લઈ ગયો હોય છે. આજ દિવસ સુધી કેટલાય વ્યાખ્યાન સાંભળ્યા... જગતને ભલે સાંભળ્યા પણ છેવટે જાતને જ સાંભળશો, સાંભળશો તો જ કલ્યાણ થશે.
મન પદાર્થ સાથે જોડાય તો સમાધાન.. આપ સ્વભાવમાં રે અવધુ સદા મગન મેં રહેના... પરમ તત્ત્વ સાથે જે જોડાયા છે, તન્મય બન્યો છે તે જ
પોતાનો ઉદ્ધાર - જિર્ણોદ્ધાર કરી શકશે.
સ્વાર્થની દિવાલ તોડ્યા વિના જીવનમાં પરમાર્થવૃત્તિ જાગતી નથી.
અને
પરમાર્થ વૃત્તિ સક્રિય બનાવ્યા વિના જીવનમાં પ્રેમનો ખરો આનંદ
અનુભવી શકાતો નથી.
=
•
૫૦ •
=