________________
'જે
જે ભાત ભલાય તો....
ઈન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળવી, મનને આત્મસ્વરૂપમાં સ્થાપવું અને આત્માને જ્ઞાનમાં સ્થિર કરવું તેનું નામ મન્નતા.
ઈન્દ્રિયોને નિવૃત્ત કરો, મનને ધર્મ માર્ગે પ્રવૃત્ત કરો. છે ઈન્દ્રિયોને બાળો નહીં પણ વાળો! સેલ્ફ કન્ટ્રોલ એ જિનશાસનનો
મુદ્રાલેખ છે. વિષયો એટલા ખતરનાક નથી પણ એમાં ઈન્દ્રિયો ભળે તો જ ખતરનાક. પાગલ બનતી ઈન્દ્રિયોને જે વાળી શકે એ જ મગ્નતાના પ્રદેશમાં પ્રવેશ કરી શકે. મન જાયે તો જાને દો, મત જાને દો શરીર, નહીં ખીચેગા કમાન તો કહાં લગેગા તીર.
જો મન હાથમાં રહે તો ઈન્દ્રિયો અંકુશમાં આવે. જ મોહાદિ ભાવો જ્યાં ઘટે ત્યાં મગ્નતા, મોહાદિ ભાવો જ્યાં વધે ત્યાં
એકાગ્રતા.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અંતિમ ગ્રંથમાં અંતિમ ભવ થઈ જાય એ માટે પૂર્ણાષ્ટકની વાત કરી. કૃષ્ણ અને શુક્લપાક્ષિક જીવનું સ્વરૂપ સમજાવ્યું. ખંડિત આનંદમાંથી અખંડિત આનંદ મેળવવો છે. ઉપાધિમાંથી નિરૂપાધિક બનવું છે. તૂટતા ને ખૂટતા આનંદને છોડી અખૂટ અને અતૂટ આનંદ મેળવવો હોય તેણે શું કરવું જોઈએ? પૂર્ણ બનવું પડે. પૂર્ણતાને લાવવા આગળની ભૂમિકાએ આવવું પડશે. મગ્ન બન્યા વિના પૂર્ણ બનાતું નથી. ડૂબકી લગાવ્યા વિના મોતી મળતા નથી. મગ્નતા એટલે શું? મસ્ત બની જવું છે. પણ આ તો ઉપરછલ્લી મગ્નતા છે. સાગરના કિનારે પડ્યા છે તે તો છીપલા છે. અહીં તો સાગરના ઊંડાણને સ્પર્શીને રહેલી મગ્નતાની વાત કરવામાં આવી છે.
આપણે ઘણીવાર સંગીતમાં ખોવાઈ જઈએ છીએ તો આજુબાજુ શું થાય છે તેની ખબર પડતી નથી.
એક ઘરમાં લોકો ટી.વી. પર ક્રિકેટની મેચ જોવામાં મસ્ત બન્યા. બધા જીવતા હતા ને જાગતા હતા. પણ મેચ જોવામાં મશગુલ બન્યા. એ
= • ૫૦ •