________________
આ માત્રા અર્થ પુરૂષાર્થ માટે જ નહીં પણ અન્ય પુરૂષાર્થ માટે પણ સમજવું. * પુત્ર માટેનું ઔચિત્ય અને ગુરૂનું ઔચિત્ય જુદુ... * પત્ની માટેનું ઔચિત્ય અને માતા માટેનું ઔચિત્ય જુદુ...
આવા જીવો માત્ર વર્તમાનલક્ષી ન હોય, ભાગોળદર્શી પણ ન હોય પણ પરલોકદર્શી હોય છે. - સમ્રાટ સંપ્રતિ હોય કે કુમારપાળ કે વિમલમંત્રી હોય કે વસ્તુપાળતેજપાળ કે જગડુશા કે ભામાશા હોય. આ બધામાં બધી જ જાતનું અદ્ભુત
ઔચિત્યપાલન હતું. ઔચિત્યના પ્રભાવે ધર્મનો પ્રભાવ પણ તેઓ પાથરી શક્યા. ઔચિત્યનું પાલન સહુ પ્રત્યેના કર્તવ્યોનું ભાન કરાવે છે. * માત્ર પૈસાની દોટ પરિવાર પ્રત્યે દુર્લક્ષ કરાવે.. * સત્તાની દોટ પાપ-પુણ્યના ખ્યાલને ભૂલાવી દે છે..
જીવન એ રીતે જીવવાની પ્રેરણા લો કે તમારાથી કોઈ વિભાગને હાનિ ન પહોંચે...
શુક્લ પાક્ષિકની ભૂમિકાને પામવા....
આવો જીવનમાં નયણે કરૂણા લાવીએ, વયણે અમૃત વહાવીએ ને હૃદયે સ્નેહની ગંગા લાવીએ...
a see
અભયદાન
સમાધિદાન
શાનદાન
અનુકંપાદાન સુપાત્રદાન આ પાંચેયમાંથી રોજ કાંઈક કરતા રહો.
=
•
૪૫