SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આ માત્રા અર્થ પુરૂષાર્થ માટે જ નહીં પણ અન્ય પુરૂષાર્થ માટે પણ સમજવું. * પુત્ર માટેનું ઔચિત્ય અને ગુરૂનું ઔચિત્ય જુદુ... * પત્ની માટેનું ઔચિત્ય અને માતા માટેનું ઔચિત્ય જુદુ... આવા જીવો માત્ર વર્તમાનલક્ષી ન હોય, ભાગોળદર્શી પણ ન હોય પણ પરલોકદર્શી હોય છે. - સમ્રાટ સંપ્રતિ હોય કે કુમારપાળ કે વિમલમંત્રી હોય કે વસ્તુપાળતેજપાળ કે જગડુશા કે ભામાશા હોય. આ બધામાં બધી જ જાતનું અદ્ભુત ઔચિત્યપાલન હતું. ઔચિત્યના પ્રભાવે ધર્મનો પ્રભાવ પણ તેઓ પાથરી શક્યા. ઔચિત્યનું પાલન સહુ પ્રત્યેના કર્તવ્યોનું ભાન કરાવે છે. * માત્ર પૈસાની દોટ પરિવાર પ્રત્યે દુર્લક્ષ કરાવે.. * સત્તાની દોટ પાપ-પુણ્યના ખ્યાલને ભૂલાવી દે છે.. જીવન એ રીતે જીવવાની પ્રેરણા લો કે તમારાથી કોઈ વિભાગને હાનિ ન પહોંચે... શુક્લ પાક્ષિકની ભૂમિકાને પામવા.... આવો જીવનમાં નયણે કરૂણા લાવીએ, વયણે અમૃત વહાવીએ ને હૃદયે સ્નેહની ગંગા લાવીએ... a see અભયદાન સમાધિદાન શાનદાન અનુકંપાદાન સુપાત્રદાન આ પાંચેયમાંથી રોજ કાંઈક કરતા રહો. = • ૪૫
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy