________________
અવતર્યા. બાળપણથી ચારિત્રની ઉત્કૃષ્ટ ભાવના છે. માતા-પિતા કહે છે - જમને આપીએ પણ જતિને નહીં. છઠ્ઠના પારણે છઠ્ઠ કરી પારણે આયંબિલ કરી દિવસો પસાર કરે છે. પાપ સારો, બંધ સારો, પણ અનુબંધ અત્યંત જોખમી છે. અનુબંધ તીવ્ર કોટીના રાગદ્વેષથી જ શક્ય છે. ભવોભવ સુધી ક્યારેક પછાડી દે છે.
૧૨ વર્ષ પછી શિવકુમાર આયુષ્ય પૂર્ણ કરી જંબુસ્વામી બન્યા. આસક્તિએ ભવદેવ બનાવ્યા. વિરક્તિએ જંબુસ્વામી બનાવ્યા. ૧૨ વર્ષ સુધી નાગીલાનો જાપ જપેલ એ જ ભવદેવના જીવ જંબુકુમાર આઠ-આઠ રૂપવતી પત્નીઓને લગ્નની પહેલી રાતે વૈરાગ્યનો ઉપદેશ આપી રહ્યા છે. જંબુસ્વામિ સાથે એની આઠેય પત્નીઓ પામી જાય છે. ને પ્રભવાદિ ૫૦૦ ચોરો પણ પામી જાય છે.
- સાધુ-સાધ્વીજીઓની જીંદગી જોઈ બીજા પામી જાય. છે ચંદનબાળા સાધ્વીજીને જોઈ સેતુકનો ભાવ જાગી ગયો ને કલ્યાણ સાધી ગયો. “સાધુને ત્યાં પણ સંસાર છે...' એવા વચનો ક્યારેય પણ ન બોલવા. સાધુની નિર્દોષ - પવિત્ર જિંદગી જોઈ બીજાને આલંબન મળે. ચડવાના ભાવો જાગે. પતિત આત્મા પણ પવિત્ર બની જાય. આ કલિકાળમાં પણ અજાયબીભરી આ સંસ્થાઓ છે : (૧) સાધુ સંસ્થા, (૨) શ્રાવક સંસ્થા.
સાધુઓનું ઝળહળતું સંયમ જોઈ કેટકેટલા અનુમોદના કરી તરી જાય છે. તમારી પણ પરમાત્માની આજ્ઞાભરી દિનચર્યા જોઈ જૈનેતરો પણ અનુમોદના કરશે.
આ સંસારમાં રાજાને રાજા, મંત્રીને મંત્રી, સાસુને સાસુ, વહુને વહુ, ગુરૂને ગુરૂ, શિષ્યને શિષ્ય બનતા આવડી જાય તો અહીંયા સુખ સિવાય કશું જ નથી. બધા જ પોતપોતાની ફરજો શું છે? એટલું સમજશે તો સંસારમાં સ્વર્ગથી પણ સોહામણો આનંદ ઉત્પન્ન થશે. સમસ્યાના બાવળ ક્યારેય જિંદગીમાં નહીં ઉગે.
આવનારને રહેતા આવડે અને લાવનારને રાખતા આવડી જાય એવી જીવન જીવવાની કળા શીખી જજો. સમર્પણ સારી ચીજ છે.
| મન ઉપર માનવીનો કાબૂ એટલે વિકાસ.. અને માનવી ઉપર મનનો કાબૂ એટલે વિનાશ એ ન ભૂલીએ.
22
=
• ૩૦ •