________________
• પાપનું પ્રસારણ ક્યારેય નહિ !
બલભદ્ર મુનિ ગામમાં ગોચરી વહોરવા જઈ રહ્યા છે. રસ્તામાં એક કૂવા આગળ એક બાઈ પાણી ભરવા આવી હતી. સાથે નાનું બાળક પણ હતું. બલભદ્ર મુનિનું રૂપ જોઈ અંજાઈ ગયેલી બાઈ ઘડામાં નાખવાનું દોરડું ભૂલથી બાળકના ગળામાં નાંખવાની તૈયારી કરે છે. ત્યાં મુનિએ કહ્યું કે ભલી રે બાઈ આ શું કરી રહી છે ? તરત મુનિ વિચાર કરે છે, “અપૂર્ણ દર્શનમાંથી યાત્રા પૂર્ણ દર્શનની કરો.”
મારો જ ઘોર પાપનો ઉદય છે. મારું રૂપ પાપમાં નિમિત્ત બને છે. તે તરત જ જંગલમાં ચાલ્યા ગયા.
ધર્મ જેને ગમે છે તે પાપનું પ્રસારણ ક્યારેય કરતા નથી, પાપને પ્રસરાવતા નથી.
બલભદ્ર મુનિ જંગલમાં કેમ ગયા ?
બીજાને દુઃખી બનાવવા જેમ પાપ છે તેમ બીજાને પાપી બનાવવા એ પણ પાપ છે.
પુણ્ય હરિફાઈ કરાવે છે, ધર્મ સહકાર કરાવે છે. માત્ર મને જ મળે તે પુણ્ય અને સર્વ જીવોને મળે તે ધર્મ છે.
પુણ્યના ફળ તરીકે ભોગ મળે છે, ધર્મના ફળ તરીકે વૈરાગ્ય મળે છે. પચ્ચે શેતાન બનાવવાના કાર્ય કર્યા છે, ધર્મે સજ્જન બનાવવાના કામ કર્યા છે. * ત્રણ વર્ષના દુકાળ પડ્યા.... એક મહાજન એક શ્રેષ્ઠીને ત્યાં ફાળો લખાવવા ગયા. એ શ્રેષ્ઠી બોલ્યા કે, તેઓ એ ક્ષેત્રમાં જન્મ્યા. પોતાના કર્મોનું ફળ ભોગવે છે. આપણે શું કરીએ? જ્ઞાનીઓ કહે છે કે આવે સમયે આવો વિચાર કરી બેસી ન રહેવાય. પોતાની પરિણતિને કોમળ રાખવી જ પડે. * તમારી ઉદારતા પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સામાની દીનતા જ ખતમ થઈ જાય છે. * તમારો મૈત્રીભાવ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે વેર-કષાયભાવ ખતમ થઈ જાય છે. * ભગવાનનો નિર્વિકારભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સમોસરણમાં ઉર્વશીઓ નૃત્ય કરે છે તોય કોઈને કાંઈ વિકારભાવ પેદા થતો નથી.
= • ૨૧ •