________________
૨૨
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર જ તેણે વિર્ભાગજ્ઞાન દ્વારા પિતાને પૂર્વભવ જાણ્યો અને તેની સાથે જ તેને હરિ અને હરિણી તરીકે જન્મેલા સુમુખ રાજવી અને વનમાળા પ્રત્યે વૈરાગ્નિ ભભૂકી ઉઠયો. તેણે પિતાના વૈરને બદલો લેવાનો નિર્ણય કર્યો અને હરિવર્ષ ક્ષેત્રમાં આવી પહોંચ્યો.
હરિ અને હરિણું યુગલીયાનું આયુષ્ય હજી વિશેષ હતું એટલે તેનો સંહાર કરવાની ઈચ્છાથી આવેલ વિરકુવીંદના જીવને એ વિચાર ઉદભવ્યું કે- જે હું આ બંનેને અહીં જ મારી નાખીશ તો આ ક્ષેત્રના પ્રભાવે મૃત્યુ પામી તેઓ દેવ થશે, માટે એ પ્રયાસ કરું કે જેથી તેઓની હલકી ગતિ થાય અને મારા વૈરનો બદલે પણ બરાબર લેવાય.” વિચારણાને અંતે તેને જણાયું કે-જે તેને આ ક્ષેત્રમાંથી કર્મભૂમિમાં લઈ જઈ રાજા બનાવવામાં આવે તે તે અવશ્ય અશુભ ગતિને પ્રાપ્ત કરે અને સ્વર્ગ જેવા આ દિવ્ય સુખથી પણ વંચિત બને; કારણ કે “રાજે. શ્વરી નરકેશ્વરી.” આ પ્રમાણે વિચાર કરી પિતાના વિભંગ જ્ઞાનને ઉપયોગ મૂકો તે તે સમયે જ ભરતખંડની ચંપાપુરીમાં ઈવાકુ વંશને ચંદ્રકીર્તિ નામનો રાજા નિઃસંતાન મૃત્યુ પામેલ જણાય. તેણે તે યુગલને શીઘ્રતાથી ઉપાડી નગરીના તે ઉદ્યાનમાં મૂક્યા. ચંદ્રકીર્તિ રાજા અપુત્રિ મૃત્યુ પામવાથી
આ યુગલીયાનું આ પ્રમાણેનું અપહરણ તે અચછેરું જ ગણાય, કારણ કે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલને કર્મભૂમિમાં આવવાપણું રહેતું જ નથી બનતું જ નથી. દેવે તેમનું બે ગાઉનું દેહમાન પણ ન્યૂન કરી નાંખ્યું અને તેની સાથોસાથ આશ્ચર્ય પમાડે તેવી હકીકત તો એ કરી કે તેમના બે
પોપમ જેટલા આયુને સંખ્યાતા વર્ષમાં પલટાવી નાંખ્યું. આ અનપવતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com